SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યસમ્પ્રદાય મંતવ્યોની પૂરી ચિકિત્સા યા ખંડન કર્યા વિના બુદ્ધ પોતાની સંઘરચનામાં સફળ થઈ શકતા ન હતા. એથી ઊલટું, મહાવીરનો પ્રશ્ન કંઈક નિરાળો હતો કેમકે પોતાના ચારિત્રબળથી તેમજ તેજોબળથી પાર્શ્વનાથના તત્કાલીન અનુયાયીઓનું મનજીતી લેવા માત્રથી તેઓ મહાવીરના અનુયાયી બની જ જતા હતા, એટલે નવાનવા અનુયાયીઓની ભરતી કરવાનો સવાલ તેમની સમક્ષ એટલો તીવ્ર ન હતો જેટલો તીવ્ર બુદ્ધની સમક્ષ હતો. તેથી આપણે દેખીએ છીએ કે બુદ્ધનો સઘળો ઉપદેશ બીજાઓની સમાલોચનાપૂર્વક જ છે. બુદ્ધ પોતાનો માર્ગ શરૂ કરતાં પહેલાં જે પંથોને એક પછી એક છોક્યા તેમાં એક નિર્ચન્ય પંથ પણ આવે છે. બુદ્ધે પોતાના પૂર્વજીવનનો જે હાલ કહ્યો છે. તેને વાંચવાથી અને તેને જૈન આગમોમાં વર્ણિત આચારો સાથે મેળવવાથી એ નિઃસંદેહપણે જણાય છે કે બુદ્ધ અન્ય પંથોની જેમ નિર્ચન્જ પંથમાં પણ ઠીક ઠીક જીવન વીતાવ્યું હતું, ભલે તે સ્વલ્પકાલીન જ રહ્યું હોય. બુદ્ધના સાધનાકાલીન પ્રારંભિક વર્ષોમાં મહાવીરે તો પોતાનો માર્ગ શરૂ કર્યો જ નહતો અને તે સમયે પૂર્વ પ્રદેશમાં પાર્શ્વનાથ સિવાય બીજો કોઈ નિર્ઝન્ય પંથ હતો નહિ. તેથી સિદ્ધ છે કે બુદ્ધ થોડા જ સમય માટે કેમ ન હોય પરંતુ પાર્શ્વનાથના નિર્ઝન્ય સંપ્રદાયનું જીવન વ્યતીત કર્યું હતું. આ જ કારણે બુદ્ધ જ્યારે નિર્ચન્ય સંપ્રદાયના આચાર-વિચારની સમાલોચના કરે છે ત્યારે નિર્ગસ્થ સંપ્રદાયમાં પ્રતિષ્ઠિત એવાં તપ ઉપર તીવ્ર પ્રહાર કરે છે અને વળી આ જ કારણે નિર્ઝન્ય સંપ્રદાયના આચાર અને વિચારનું ઠીક ઠીક તે સંપ્રદાયની પરિભાષામાં વર્ણન કરીને તેઓ તેનો પ્રતિવાદ કરે છે. મહાવીર અને બુદ્ધ બંનેનો ઉપદેશકાલ અમુક સમય સુધી અવશ્ય એક છે. એટલું જ નહિ પણ તે બંને અનેક સ્થાનોમાં એકબીજાને મળ્યા વિના પણ સાથે સાથે વિચરતા હતા, તેથી આપણે એ પણ દેખીએ છીએ કે પિટકોમાં ‘નાતપુર નિગંઠ' તરીકે મહાવીરનો નિર્દેશ આવે છે.13 પ્રાચીન આચાર-વિચારના કેટલાક મુદ્દા ઉપરની વિચારભૂમિકાને ધ્યાનમાં રાખવાથી જ આગળનીચર્ચાનું વાસ્તવિકત્વ સરળતાથી સમજમાં આવી શકશે. બૌદ્ધ પિટકોમાં આવેલી ચર્ચાઓ ઉપરથી નિર્ઝન્ય સંપ્રદાયના બાહ્ય અને આંતર સ્વરૂપ વિશે નીચે લખેલા મુદ્દાઓ મુખ્યપણે ફલિત થાય છે: 1. સામિષ-નિરામિષઆહાર (ખાદ્યાખાદ્યવિવેક) 2. અચેલત્વ-સચેલત્વ 3. તપ 4. આચાર-વિચાર 5. ચતુર્યામ 6. ઉપોસથ-પૌષધ 7. ભાષાવિચાર 12. મઝિમનિકાય, સુ. 26. પ્રો. કોસાંબીકૃત બુદ્ધચરિત (ગુજરાતી). 13. દીઘનિકાય, સુ. 2. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org .
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy