SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સામિષનિરામિષઆહાર 8. ત્રિદડ 9. લેયાવિચાર 10. સર્વજ્ઞત્વ આ મુદ્દાઓ ઉપર આપણે ઐતિહાસિક દૃષ્ટિએ ઊહાપોહ કરવા માગીએ છીએ. (1) સામિષ-નિરામિષઆહાર (ખાદ્યાખાદવિવેક) સૌ પ્રથમ આપણે બૌદ્ધ, વૈદિક અને જૈન ગ્રંથોના તુલનાત્મક અધ્યયનના આધારે નિર્ઝન્ય પરંપરાના ખાદ્યાખાદ્યવિવેકના વિષય ઉપર કેટલોક વિચાર કરવા માગીએ છીએ. ખાદ્યાખાદથી અમારો મુખ્ય અભિપ્રાય અહીં માંસ-મસ્યાદિ ચીજોથી છે. જૈન સમાજમાં ખળભળાટ અને આંદોલન થોડાક જ દિવસો પહેલાં જૈન સમાજમાં આ વિષય ઉપર ઉગ્ર ઊહાપોહ શરૂ થયો હતો. અધ્યાપક કોસાંબીજીએ બુદ્ધચરિતમાં લખ્યું છે કે પ્રાચીન જૈન શ્રમણ પણ માંસ-મસ્યાદિ ગ્રહણ કરતા હતા. તેમના આ લેખે આખા જૈન સમાજમાં એક વ્યાપક ખળભળાટ અને આંદોલન પેદા કરી દીધું હતું જે હજુ ભાગ્યે જ પૂરું શાંત પડ્યું હોય. લગભગ પચાસ વર્ષ પહેલાં આ વિષયને લઈને એક મહાન ક્ષોભ અને આંદોલન શરૂ થયું હતું જ્યારે જર્મન વિદ્વાન યાકોબીએ આચારાંગના અંગ્રેજી અનુવાદમાં અમુક સૂત્રોનો અર્થ માંસ-મસ્યાદિપરક કર્યો હતો. આપણે એમનસમજવું જોઈએ કે અમુક સૂત્રોનો આવો અર્થ કરવાથી જૈન સમાજમાં જે ક્ષોભ અને આંદોલન થયાં તે નવા યુગની પાશ્ચાત્યશિક્ષાનું જ પરિણામ છે. - જ્યારે આપણે 1200-1300 વર્ષ પહેલાં ખુદ જૈનાચાર્યોએ લખેલી સંસ્કૃત-પ્રાકૃત ટીકાઓ જોઈએ છીએ ત્યારે પણ આપણને જાણવા મળે છે કે તેમણે અમુક સૂત્રોનો અર્થ માંસ-મસ્યાદિ પણ લખ્યો છે. તે જમાનામાં પણ કંઈક ખળભળાટ અને આંદોલન થયું હશે તેની પ્રતીતિ પણ આપણને અન્ય સાધનોથી થઈ જાય છે. પ્રસિદ્ધ દિગમ્બરાચાર્ય પૂજ્યપાદ દેવનદીએ ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્ર ઉપર સર્વાર્થસિદ્ધિ નામની ટીકા લખી છે. તે ટીકામાં તેમણે આગમોને લક્ષ્ય કરીને જે વાત કહી છે તે સૂચવે છે કે તે છઠ્ઠી સદીમાં પણ અમુક સૂત્રોનો માંસ-મસ્યાદિપરક અર્થકરવાના કારણે જૈન સમાજનો એક મોટો વર્ગખળભળી ઊઠ્યો હતો. પૂજ્યપાદે કર્મબન્ધનાં કારણોના વિવેચનમાં લખ્યું છે કે માંસ આદિનું પ્રતિપાદન કરવું એ શ્રુતાવર્ણવાદ છે. નિઃસંદેહ પૂજ્યપાદક્ત મુતાવર્ણવાદનો આક્ષેપ ઉપલબ્ધ આચારાંગાદિ આગમોને લક્ષ્ય કરીને જ છે કેમકે માંસ આદિના ગ્રહણનું પ્રતિપાદન કરનાર જેનેતર શ્રતને તો 14. સર્વાર્થસિદ્ધિ, 6.13. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy