SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિન્દુનું પરિશીલન રીતે સૌથી જૂન ભાવોને જાણનારની અપેક્ષાએ - 1. અનન્તભાગઅધિક, 2. અસંખ્યાતભાગઅધિક, 3. સંખ્યાતભાગઅધિક, 4. સંખ્યાતગુણ અધિક, 5. અસંખ્યાતગુણઅધિક અને 6. અનન્તગુણઅધિક – આક્રમશઃ ચડતી કક્ષાઓ છે. મૃતની સમાનતા હોવા છતાં પણ તેના ભાવોના પરિજ્ઞાનગત તારતમ્યનું કારણ જે ઊહાપોહ સામર્થ્ય છે તેને ઉપાધ્યાયજીએ શ્રુતસામર્થ્ય અને અતિસામર્થ્ય ઉભયરૂપ કહેલ છે - તેમ છતાં તેમનો વિરોષ ઝૂકાવતેને શ્રુતસામર્થ્યમાનવા તરફ સ્પષ્ટ છે. આગળ જઈને શ્રુતના દીર્વોપયોગવિષયક સમર્થનમાં ઉપાધ્યાયજીએ એક પૂર્વગત ગાથાનો ઉલ્લેખ (જ્ઞાનબિન્દુ પૃ.9) કર્યો છે જે વિશેષાવશ્યકભાષ્યમાં (ગાથા117) મળે છે. પૂર્વગત શબ્દનો અર્થ છે પૂર્વ- પ્રાન્તન. તે ગાથાને પૂર્વગાથા તરીકે માનતા આવવાની પરંપરા જિનભદ્રગણિ શમાશ્રમણ જેટલી તો પ્રાચીન અવશ્ય છે, કેમ કે કોટ્યાચાર્યે પણ પોતાની વૃત્તિમાં તેનું પૂર્વગત ગાથા તરીકે જ વ્યાખ્યાન કર્યું છે, પરંતુ અહીં એ વાત અવશ્ય ધ્યાન ખેંચે છે કે પૂર્વગત મનાતીત ગાથા દિગમ્બર ગ્રન્થોમાં ક્યાંય મળતી નથી અને પાંચ જ્ઞાનોનું વર્ણન કરનારી ‘આવશ્યકનિર્યુક્તિ” માં પણ તે ગાથા નથી. અમે પહેલાં કહ્યું છે કે અક્ષરઅક્ષરરૂપે શ્રુતના બે ભેદ બહુ પ્રાચીન છે અને દિગમ્બરીયશ્વેતામ્બરીય બન્ને પરંપરાઓમાં મળે છે. પરંતુ અક્ષર શ્રુતની બન્ને પરંપરાગત વ્યાખ્યા એકસરખી નથી. દિગમ્બર પરંપરામાં અક્ષરકૃત શબ્દનો અર્થ સૌપ્રથમ અકલેકેજ સ્પષ્ટ કર્યો છે. તેમણે સ્વાર્થકૃતને અનક્ષરગ્રુત કહેલ છે, જ્યારે શ્વેતામ્બરીય પરંપરામાં નિર્યુક્તિના સમયથી જ અનક્ષરયુતનો જુદો અર્થ પ્રસિદ્ધ છે. નિર્યુક્તિમાં અનક્ષશ્રુત એટલે ઉવસિત, નિઃશ્વસિત આદિરૂપ જ શ્રત એવો અર્થ લેવામાં આવ્યો છે. તેવી જ રીતે અક્ષરયુતના અર્થ અંગે પણ બને પરંપરાઓને મતભેદ છે. અકલંક પરાર્થ વચનાત્મકશ્રતને જ અક્ષરગ્રુત કહે છે જે કેવળદ્રવ્યહ્યુતરૂપ છે જ્યારે તે પૂર્વગત ગાથાના વ્યાખ્યાનમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ત્રિવિધ અક્ષર દર્શાવતાં અક્ષરદ્યુતને દ્રવ્યભાવરૂપે બે પ્રકારનું દર્શાવે છે. દ્રવ્ય અને ભાવરૂપે શ્રુતના બે પ્રકાર માનવાની જેન પરંપરા તો પ્રાચીન છે અને શ્વેતામ્બરદિગમ્બર શાસ્ત્રોમાં એકસરખી જ છે પરંતુ અક્ષરયુતના વ્યાખ્યાનમાં બને પરંપરાઓ વચ્ચે અન્તર પડી ગયું છે. એક પરંપરા અનુસાર દ્રવ્યયુત જ અક્ષરદ્યુત છે જ્યારે બીજી પરંપરા અનુસાર દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારનું અક્ષરગ્રુત છે. દ્રવ્યયુત શબ્દ જૈન વાડ્મયમાં પ્રાચીન છે પરંતુ તેના વ્યંજનાક્ષર અને સાક્ષર નામથી પ્રાપ્ત થતાબે પ્રકાર દિગમ્બર શાસ્ત્રોમાં નથી. દ્રવ્યયુત અને ભાવથુતરૂપે શાસ્ત્રજ્ઞાન સંબંધી જે વિચાર જેન પરંપરામાં મળે છે અને જેનું વિશેષપણે સ્પષ્ટીકરણ ઉપાધ્યાયજીએ પૂર્વગત ગાથાનું વ્યાખ્યાન કરતાં કર્યું છે તે સઘળો વિચાર આગમ(શ્રુતિ) પ્રામાણ્યવાદી તૈયાયિકાદિ બધાં જ વૈદિક દર્શનોની પરંપરામાં એકસરખો છે અને અતિ વિસ્તારથી મળે છે. તેની શાબ્દિક તુલના નીચે જણાવ્યા પ્રમાણે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy