SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્રસ્થાનપતિતત્વ અને પૂર્વગત ગાથા 3. શાસ્ત્રવિહિત પ્રવૃત્તિઓમાં હિંસાદોષ- 3. શાસ્ત્રવિહિત પ્રવૃત્તિઓમાં હિંસાદોષનો નો અભાવ અર્થાત્ નિષિદ્ધાચરણ અભાવ અર્થાત્ નિષિદ્ધાચાર જ હિંસા જ હિંસા. (અહીં એ ધ્યાનમાં રાખવું કે જેને તત્ત્વજ્ઞ શાસ્ત્ર' શબ્દથી જૈન શાસ્ત્રને - ખાસ કરીને સાધુજીવનના વિધિનિષેધના પ્રતિપાદક શાસ્ત્રને જ લે છે, જ્યારે વૈદિક તત્ત્વચિન્તક શાસ્ત્ર શબ્દથીતે બધાં જ શાસ્ત્રોને લે છે જેમનામાં વૈયક્તિક, કૌટુમ્બિક, સામાજિક, ધાર્મિક અને રાજકીય આદિ બધાં કર્તવ્યોનું વિધાન છે.) 4. છેવટે અહિંસાનો મર્મ જિનાજ્ઞાના 4. છેવટે હિંસાનું તાત્પર્ય વેઠ તથા – જૈનશાસ્ત્રના યથાવત્ અનુસરણમાં સ્મૃતિઓની આજ્ઞાના પાલનમાં જ છે. જ છે. ઉપાધ્યાયજીએ ઉપર્યુક્ત ચાર ભૂમિકાવાળી અહિંસાનું ચતુર્વિધવાWાર્થ દ્વારા નિરૂપણ કરીને તેના ઉપસંહારમાં જે કંઈ લખ્યું છે તે વેદાનુયાયી મીમાંસક અને નૈયાયિકની અહિંસાવિષયક વિચારસરણિની સાથે એક જાતની જૈન વિચારસરણિની તુલના માત્ર છે અથવા તો એમ કહેવું જોઈએ કે વૈદિક વિચારસરણિ દ્વારા જૈન વિચારસરણિનું વિશ્લેષણ જ તેમણે કર્યું છે. જેમ મીમાંસકોએ વેદવિહિત હિંસાને છોડીને જ હિંસામાં અનિષ્ટજનત્વમાન્યું છે તેવી જ રીતે ઉપાધ્યાયજીએ છેવટે સ્વરૂપ હિંસાને છોડીને જ માત્ર હેતુ- આત્મપરિણામ હિંસામાં જ અનિષ્ટજનકત્વદર્શાવ્યું છે. (5) સ્થાનપતિતત્વ અને પૂર્વગત ગાથા મૃતચર્ચાના પ્રસંગમાં અહિંસાના ઉત્સર્ગઅપવાદની વિચારણા કર્યા પછી ઉપાધ્યાયજીએ શ્રુત સાથે સંબંધ ધરાવનાર અનેક જ્ઞાતવ્ય મુદ્દાઓ ઉપર વિચાર પ્રકટ કરતાં ષસ્થાનના મુદ્દાની પણ શાસ્ત્રીય ચર્ચા કરી છે જેનું સમર્થન આપણા જીવનગત અનુભવથી જ થતું રહે છે. એક જ અધ્યાપક પાસે એક જ ગ્રન્ય ભણનારી અનેક વ્યક્તિઓમાં શબ્દ અને અર્થનું જ્ઞાન સમાન હોવા છતાં પણ તેના ભાવો અને રહસ્યોના પરિજ્ઞાનનું જે તારતમ્ય જોવામાં આવે છે તેતે અધિકારીઓની આન્તરિક શક્તિના તારતમ્યનું જ પરિણામ હોય છે. આ અનુભવને ચતુર્દાપૂર્વધરોમાં લાગુ પાડીને ‘કલ્પભાષ્યના આધારે ઉપાધ્યાયજીએ દેખાડ્યું છે કે ચતુર્દાપૂર્વરૂપ શ્રતને એકસરખી રીતે ભણેલી અનેક વ્યક્તિઓમાં પણ શ્રુતગત ભાવોને વિચારવાની શક્તિનું અનેકવિધ તારતમ્ય હોય છે જે તેમની ઊહાપોહશક્તિના તારતમ્યનું જ પરિણામ છે. આ તારતમ્યને શાસ્ત્રકારોએ છ વિભાગોમાં વહેંચ્યું છે જે ષટ્રસ્થાન કહેવાય છે. ભાવોને જે સૌથી અધિક જાણી શકે છે તે મૃતધર ઉત્કૃષ્ટ કહેવાય છે. તેની અપેક્ષાએ હીન, હીનતર, હીનતમરૂપે છ કક્ષાઓનું વર્ણન છે. ઉત્કૃષ્ટ જ્ઞાતાની અપેક્ષાઓ - 1. અનન્તભાગહીન, 2. અસંખ્યાતભાગહીન, 3. સંખ્યાતભાગહીન, 4. સંખ્યાતગુણહીન, 5. અસંખ્યાતગુણહીન અને 6. અનન્તગુણહીન-આક્રમશઃ ઉતરતી છ કક્ષાઓ છે. તેવી જ 34. જુઓ જ્ઞાનબિન્દુ, ટિપ્પણ પૃ. 99. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy