SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાનના વિશેષ નિરૂપણમાં નવો ઊહાપોહ 1. જૈન દ્રવ્ય શ્રુત વ્યંજનાક્ષર સંજ્ઞાક્ષર ભાવ । લન્ધ્યક્ષર I શબ્દ Jain Education International 2. જૈનેતર ન્યાયાદિ આગમ-શબ્દપ્રમાણ 1 શબ્દ T લિપિ ૯૭ શક્તિ વ્યક્તિ અર્થાત્ બોધ (ઉપયોગ) પદાર્થોપસ્થિતિ, સંકેતજ્ઞાન, આકાંક્ષા, યોગ્યતા, આસત્તિ, તાત્પર્યજ્ઞાન, આદિ શાબ્દબોધનાં કારણો જે નૈયાયિકાદિ પરંપરામાં પ્રસિદ્ધ છે તે બધાંને ઉપાધ્યાયજીએ શાબ્દબોધપરિકરરૂપે શાબ્દબોધમાં જ સમાવ્યાં છે. અહીં એક ઐતિહાસિક સત્યની તરફ વાચકોનું ધ્યાન ખેંચવું જરૂરી છે. તે એ કે જ્યારે પણ કોઈ જૈન આચાર્યે ક્યાંય પણ નવું પ્રમેય જોયું તો તેનું જૈન પરિભાષામાં શું સ્થાન છે એ દર્શાવીને એક રીતે જૈન શ્રુતની શ્રુતાન્તર સાથે તુલના કરી છે. ઉદાહરણાર્થ, ભર્તૃહરીય ‘વાચપઢીય’માં વૈખરી, મધ્યમા, પશ્યન્તી અને સૂક્ષ્મા રૂપે જે ચાર પ્રકારની ભાષાઓનું બહુ જ વિસ્તૃત અને તલસ્પર્શી વર્ણન છે તેનો જૈન પરંપરાની પરિભાષામાં કેવી રીતે સમાવેશ થઈ શકે છે એ સ્વામી વિદ્યાનન્દે બહુ જ સ્પષ્ટતા અને યથાર્થતાથી સૌપ્રથમ દર્શાવ્યું છે,3 જેથી જૈન જિજ્ઞાસુઓને જૈનેતર વિચારનો અને જૈનેતર જિજ્ઞાસુઓને જૈન વિચારનો સરળતાથી બોધ થઈ શકે. વિદ્યાનના તે જ સમન્વયને વાદિદેવસૂરિએ પોતાના ઢંગથી વર્ણવ્યો છે.37 ઉપાધ્યાયજીએ પણ ન્યાય આદિ દર્શનોના પ્રાચીન અને નવીન ન્યાયાદિ ગ્રંથોમાં જે શાબ્દબોધ અને આગમપ્રમાણ સંબંધી વિચાર જોયા અને વાંચ્યા તેમનો ઉપયોગ તેમણે જ્ઞાનબિન્દુમાં જૈન શ્રુતની તે વિચારો સાથે તુલના કરવામાં કર્યો છે, જે અભ્યાસીએ ખાસ મનન કરવા યોગ્ય છે. શાબ્દબોધ (6) મતિજ્ઞાનના વિરોષ નિરૂપણમાં નવો ઊહાપોહ [34] પ્રસંગપ્રાપ્ત શ્રુતની કેટલીક વાતો પર વિચાર કર્યા પછી ફરી ગ્રન્થકારે પ્રસ્તુત મતિજ્ઞાનના વિરોષોનું – ભેદોનું નિરૂપણ શરૂ કર્યું છે. જૈન વાડ્મયમાં મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એ ચાર ભેદ તથા તેમનો પરસ્પર કાર્યકારણભાવ પ્રસિદ્ધ છે. આગમ અને તર્કયુગમાં તે ભેદો પર બહુ વિચાર કરવામાં આવ્યો છે, પરંતુ ઉપાધ્યાયજીએ જ્ઞાનબિન્દુમાં તે ભેદોની તથા તેમના પરસ્પર કાર્યકારણભાવની જે વિવેચના કરી છે તે પ્રધાનપણે વિરોષાવશ્યકભાષ્યાનુગામિની છે. આ વિવેચનામાં ઉપાધ્યાયજીએ પૂર્વવર્તી 35. જુઓ વાક્યપદીય, 1 થી114. 38 36. જુઓ તત્ત્વાર્યશ્ર્લોકવાર્તિક, પૃ. 240, 241. 37. જુઓ સ્યાદ્વાદરત્નાકર, પૃ. 97. 38. જુઓ વિશેષાવશ્યકભાષ્ય, ગાથા296–299. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001199
Book TitleNirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Nagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2006
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy