SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક શિક્ષણ • ૬૧ જીવન સમૃદ્ધ થવાનો કે જીવનમાં ઉદાત્ત સંસ્કાર પોષાવાનો સંભવ ભાગ્યે જ હોય છે, તેવા શિક્ષણનો વિરોધ એ જ તેમનો વિરોધ છે. આ રીતે ઊંડા ઊતરીને જોઈએ તો ધાર્મિક શિક્ષણનો વિરોધ કરનાર વર્ગ ખરી રીતે ધાર્મિક શિક્ષણની આવશ્યકતા જ સ્વીકારે છે. બીજી બાજુ, એ શિક્ષણનો અત્યાગ્રહ સેવનાર શબ્દપાઠો અને ક્રિયાકાંડો પરત્વે ગમે તેટલો આગ્રહ સેવે, છતાં તે પણ જીવનમાં ઉચ્ચ સંસ્કારસમૃદ્ધિ પોષાતી હોય તો તે જોવા ઉત્સુક તો છે જ. આ રીતે સામસામે છેડે સ્થિત એ બંને વર્ગો માનવીનું જીવન ઉચ્ચ અને સંસ્કારી બને એ બાબતમાં એકમત જ છે. એક પક્ષ અમુક પ્રકારનો વિરોધ કરીને તો બીજો પક્ષ તે પ્રકારનું સમર્થન કરીને છેવટે તો બંને પક્ષો નકાર અને હકારમાંથી એક સામાન્ય તત્ત્વ ઉપર આવી ઊભા રહે છે. જો છેક સામસામેના બંને પક્ષો એક બાબતમાં એકમત થતા હોય, તો તે ઉભયસંમત તત્ત્વને લક્ષીને જ શિક્ષણનો પ્રશ્ન વિચારવો જોઈએ અને વિવાદાસ્પદ તત્ત્વ વિષે આ કે તે જાતનું ઐકાંતિક વિધાન કે તે વાસ્તેની ગોઠવણ ન કરતાં તે બાબત શિક્ષણ લેનારની રુચિ અને વિચારણા ઉપર છોડી દેવી જોઈએ, એમ જ ફલિત થાય છે. જેઓ ધાર્મિક પાઠો અને ક્રિયાકાંડોના પક્ષપાતી હોય છે, તેમણે પોતાના જીવનથી જો એમ સાબિત કર્યું હોત કે પ્રથાસેવી ધાર્મિકો પોતાના જીવનવ્યવહાર બીજા કરતાં વધારે સાચા હોય છે, બોલ્યા પ્રમાણે વર્તનાર હોય છે, તેમજ સાદું જીવન જીવનાર હોઈ પોતાની ચાલુ ધર્મપ્રથા દ્વારા માનવતાને વધારે સાંકળે છે, તો કોઈને પણ તેમના રૂઢ શિક્ષણ વિષે વાંધો લેવાને કારણ જ ન હોત. પણ ઇતિહાસ એથી ઊલટું કહે છે. જે જે જાતિએ કે કોમે રૂઢ ધાર્મિક-શિક્ષણ વધારે લીધું હોય છે, તે જાતિ કે કોમ બીજી કોમો કરતાં વધારે ભેદ પોષતી આવી છે. ક્રિયાકાંડી–શિક્ષણમાં સૌથી વધારે અભિમાન લેનાર બ્રાહ્મણ કે હિંદુ જાતિ બીજા સમાજો કરતાં વધારે વહેંચાઈ ગયેલ છે અને વધારે દાંભિક તથા વધારે બીકણ જીવન ગાળે છે. જેમ જેમ ધર્મનું શિક્ષણ વિવિધ અને વધારે, તેમ તેમ જીવનની સમૃદ્ધિ પણ વિવિધ અને વધારે હોવી જોઈએ. તેને બદલે ઇતિહાસ કહે છે કે ધર્મપરાયણ મનાતી કોમ ધર્મથી સંધાવાને બદલે ધર્મની વિપુલતાના પ્રમાણમાં વધારે વિપુલતાથી એકએકથી છૂટી પડી ગઈ છે. ઈસ્લામ ધર્મના રૂઢ શિક્ષણને જો. એક અમુક વર્ગને અમુક અંશમાં સાંધ્યો હોય, તો તેથી મોટા વર્ગને અનેક અંશોમાં પહેલા વર્ગનો વિરોધી મનાવી છેવટે તો માનવતાને ખંડિત જ કરી છે. ખ્રિસ્તી ધર્મની રૂઢ શિક્ષાએ પણ માનવતાને ખંડિત જ કરી છે. અમુક ધર્મ પોતાના રૂઢ શિક્ષણને બળે અમુક પ્રમાણમાં માનવવર્ગને અંદરોઅંદર સાંકળવાનું પુણ્ય કરતો હોય, તો તેથી મોટા વર્ગને છેક વિરોધી ગણવાનું મહાપાતક પણ કરે છે. આ તો રૂઢશિક્ષણજન્ય માનવતાના ખંડિતપણાની વાત થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy