SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ધાર્મિક શિક્ષણ, ધાર્મિક શિક્ષણ આપવું કે નહિ એ સવાલ પરત્વે સામસામે છેડે ઊભેલા મુખ્યત્વે બે વર્ગો છે : એક ધાર્મિક શિક્ષણ આપવા અપાવવાનો અતિ આગ્રહ સેવે છે, જ્યારે બીજો તે વિષે ઉદાસીન જ નહિ, પણ ઘણી વાર વિરોધ સુધ્ધાં કરે છે. આ સ્થિતિ માત્ર જૈન સમાજની જ નહિ, પણ લગભગ બધા સમાજોની છે. હું આ સ્થળે વિચારવા ધારું છું તે બાબત એ છે કે વિરોધ કરનાર શા માટે વિરોધ કરે છે ? શું એને શિક્ષણ પ્રત્યે અણગમો છે કે ધર્મ પ્રત્યે જ અણગમો છે કે ધર્મના નામથી શીખવાતી અમુક વસ્તુઓ પ્રત્યે જ અણગમો છે ? અને એ અણગમાનું કારણ શું છે? એ જ રીતે ધાર્મિક શિક્ષણ વિષે આગ્રહ સેવનાર કયા ધર્મના શિક્ષણ વિષે આગ્રહ સેવે છે અને એ આગ્રહના મૂળમાં શું રહેલું છે? વિરોધ કરનારની શિક્ષણ પ્રત્યે તો એટલી જ મમતા છે જેટલી ધર્મશિક્ષણના આગ્રહી પક્ષની. ધર્મ પ્રત્યે પણ એનો અણગમો હોતો જ નથી, જો તે જીવનપ્રદ અને માનવતાપોષક હોય તો. તેનો વિરોધ ધર્મને નામે અત્યારે શીખવાતી વસ્તુઓ વિષે જ છે અને તેનું કારણ ધર્મશિક્ષણ દ્વારા માનવતાનો વિકાસ સાધવાને બદલે એનો હાસ સધાય છે એ છે. બીજી બાજુ, ધાર્મિક શિક્ષણનો આગ્રહ સેવનાર મુખ્યપણે અમુક પાઠો શીખવવા અને અમુક પરંપરાગત ક્રિયાકાંડો શીખવવાનો જ આગ્રહ સેવે છે. એ આગ્રહના મૂળમાં એનો પોતાનો ધર્મ વિષેનો જીવંત અનુભવ નથી હોતો, પણ વારસાગત જે ક્રિયાકાંડના સંસ્કારો તેને મળ્યા હોય છે, એ સંસ્કારો ચાલુ રાખવામાં જે સામાજિક મોહ મનાતો આવ્યો છે અને એવા સંસ્કારો સીંચવા જે પંડિત અને ધર્મગુરુઓ સતત ભાર આપ્યા કરે છે તે છે. વિરોધી વર્ગ ધાર્મિક શિક્ષણનો વિરોધ કરે છે, ત્યારે તે એટલું તો માને જ છે કે માનવજીવન ઊંચું અને શુદ્ધ સંસ્કારવાળું – જે દ્વારા માનવી ખાનગી અને સામાજિક જીવનમાં પ્રામાણિકપણું ન છોડે, તુચ્છ સ્વાર્થને લીધે તે સમાજ કે રાષ્ટ્રના વિકાસને રૂંધે એવું કશું પણ ન કરે તેવું – હોવું જોઈએ. આવા જીવનનું પોષક ધાર્મિક શિક્ષણ કે તત્ત્વ એ વર્ગને સામાન્ય નથી હોતું. આનો સાર એ નીકળ્યો કે સમૃદ્ધ અને સંસ્કારી જીવન માટે જે આવશ્યક હોય તેના જ શિક્ષણને તે વર્ગ સ્વીકારે છે. જે શિક્ષણ દ્વારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy