SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા • ૪૯ જોઈ શકીએ છીએ કે અમુક એક જ આચાર શુદ્ધ નિષ્ઠામાંથી કયારેક જન્મે છે તો ક્યારેક અશુદ્ધ નિષ્ઠામાંથી. વળી એક જણ જે આચારને શુદ્ધ નિષ્ઠાથી સેવે છે તેને જ બીજા અશુદ્ધ નિષ્ઠાથી આચરે છે. શુદ્ધ નિષ્ઠાનાં દચંતઃ જો અમુક વર્ગ શુદ્ધ કે શુભ નિષ્ઠાથી મંદિર નિર્માણ પાછળ પડી લોકોની શક્તિ, સમય અને ધનને તેમાં રોકવામાં ધર્મ માને તો બીજો વર્ગ એટલી જ અને કોઈક વાર એથી પણ વધારે શુદ્ધ કે શુભ નિષ્ઠાથી મંદિર-નિર્માણનો વિરોધ કરી એ પાછળ ખર્ચાતા ધન-જનબળને બીજી જ દિશામાં વાપરવામાં ધર્મ દેખે છે, અને એ પ્રમાણે આચરી પણ બતાવે છે. એક વર્ગ કદાચ એ વિધવા બાળાના હિત ખાતર જ એના પુનર્લગ્નનો વિરોધ કરે છે તો બીજો વર્ગ એ બાળાનો અધિકાર જોઈ એના જ અધિકારધર્મની દષ્ટિએ શુભ નિષ્ઠાથી એના પુનર્લગ્નની હિમાયતમાં ધર્મ લેખે છે. એક વર્ગ ઉંદરો કે બીજાં ઝેરી જંતુઓના દ્વેષને કારણે નહિ, પણ બહુજનહિતની દષ્ટિએ જ શુભ નિષ્ઠાથી તેની હિંસાની હિમાયત કરે; તો બીજો વર્ગ બહુજનના જીવનહક્કની દૃષ્ટિએ શુભ નિષ્ઠાથી જ તેની હિંસાનો વિરોધ કરવામાં ધર્મ લેખે છે. એટલે કે, ઘણા મતભેદના રીતરિવાજો કે પ્રથાઓના સમર્થન અગર વિરોધ પાછળ ઘણી વાર બંને પક્ષકારોની શુભનિષ્ઠા પણ સંભવે છે. અશુદ્ધ નિષ્ઠાનાં દૃષ્યત એ તો જાણીતી જ વાત છે કે હજારો સ્વાર્થીઓ માત્ર પોતાની અંગત સ્વાર્થવૃત્તિ અને લોલુપ અશુભ નિષ્ઠાને લીધે જ મંદિર કે તેવી બીજી સંસ્થાનું સમર્થન કરે છે, તીર્થોનાં માહાસ્ય ગાઈ માત્ર આજીવિકા ચલાવે છે. પોતાની બીજી કોઈ સ્વાર્થવૃત્તિથી કે પ્રતિષ્ઠાના ભૂતના નિજી ભયથી પ્રેરાઈ, પેલી વિધવાના ભલાબૂરાનો વિવેક કર્યા સિવાય, માત્ર અશુભ નિષ્ઠાથી એના પુનર્લગ્નનું સમર્થન કરનાર પણ જડી આવે છે; જ્યારે એવી જ કે કદાચ એથીયે વધારે અશુભ વૃત્તિથી પુનર્લગ્નનું સમર્થન કરનાર પણ મળી આવે છે. મદ્યમાંસ જેવા હેય પદાર્થોને પણ શુભ નિષ્ઠાથી, પ્રસંગવિશેષ ઉપયોગમાં લેવાનો ધર્મ મનાયો છે, જ્યારે અશુભ નિષ્ઠાથી એનો ત્યાગ કરવા - કરાવવામાં ધર્મ સિદ્ધ ન થવાના દાખલાઓ પણ આપી શકાય છે. કોઈ નિયમ ત્રણે કાળમાં એકસરખો આચારણીય રહી શકે? આ રીતે કોઈ પણ વૈયક્તિક, સામાજિક કે સાર્વજનિક નિયમ કે આચાર, પ્રથા કે રીતરિવાજ એવો નથી કે જેને વિષે સમજદાર પ્રામાણિક માણસ એમ કહી શકે કે અમુક વ્યવહાર તો ત્રણે કાળમાં સૌને માટે માત્ર એકસરખી રીતે શુભ નિષ્ઠાપૂર્વક જ સંભવે છે અને અમુક વ્યવહાર તો અશુભ નિષ્ઠાપૂર્વક જ હોવાનો સંભવ છે. આટલા For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy