SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરાજ્યને છઠું વર્ષે • ૧૫૧ જવાબદાર અમલદારો અને નેતાઓનો પણ અનુભવ એક જ છે અને તે એ કે સરકાર વસ્તુસ્થિતિ સમજવામાં જેટલી મોડી પડે છે તેના કરતાંય તેનું નિવારણ કરવામાં વધારે ઢીલ કરે છે. ડૉક્ટર દરદ જાણ્યા પછી દરદીને દવા આપવાનું કહે, પણ જો તે દવા આપવામાં મોડું કરે તો એણે દરદ જાણ્યું ન જાણ્યું બરાબર છે. એક અતિ ઉચ્ચ કક્ષાના સ્વર્ગવાસી દેશનેતાએ ચોમાસામાં પડું પડું થઈ રહેલ મકાનમાં વસનાર પોતાના અધીન નોકરને કહ્યું કે ફિકર ન કર, મકાનની દુરસ્તી જલદી થઈ જશે. પણ જ્યારે એ નેતાએ જાણ્યું કે એ મકાન છેવટે પડી ગયું ને એ નોકરના કુટુંબનો એક સભ્ય દબાઈ મૂઓ ત્યારે તે પ્રામાણિક નેતાને વખતસર કામ ન કર્યાનો ઊંડો ખેદ રહ્યો, અને પેલા વફાદાર નોકરનો વિશ્વાસ તો હંમેશ માટે ગુમાવ્યો. સરકાર વિશે જો લોકો એમ ધારતા થઈ જાય કે આ તંત્ર નવાબી છે તે એથી વધારે નુકસાન સરકારપક્ષે બીજું એકેય હોય શકે નહિ. અમલદારો પોતાના કુટુંબની સહેજ પણ મુશ્કેલી નિવારવા જરા પણ ઢીલ ન કરતા હોય અને પ્રજાની અગવડો જાણ્યા છતાં તેને નિવારવાની વિશેષ ફિકર સેવતા. ન હોય તો પ્રજાને સ્વરાજ્યની દૃષ્ટિએ એમ કહેવાનો હક્ક છે કે તેઓ પ્રજાદ્રોહી છે; કેમકે પ્રજાનું અન ખાઈ તેની સેવાર્થે નીકળવાનો દાવો કરવા છતાં તેઓ તે દાવાને વફાદાર નથી રહેતા. એટલે ઝડપથી અમલ કરવાની દૃષ્ટિએ તો સરકાર ઉપર જ બધી જવાબદારી આવી પડે છે. અત્યાર લગીનો અનુભવ કહે છે કે ઝડપથી કામબજવણીની આવડત સરકારી તંત્રમાં નથી. સ્વરાજ્યને છઠે વર્ષે આ આરોપમાંથી મુક્ત થઈ સરકારી તંત્રે નવેસર ખાતરી કરી આપવી જોઈએ કે શરૂઆતનાં પાંચ વર્ષ શિખાઉપણાનાં હતાં. હવે અનુભવ ઠીક થયો છે, એટલે તંત્રમાં ઢીલાશ નહિ જ હોય. ૩. પહેલાં, ૧૯૩૭માં જ્યારે પ્રાંતિક સ્વરાજ્ય મળ્યું ત્યારે, ગાંધીજી બધા મિનિસ્ટરોને કહેતા કે તમે માત્ર ઑફિસમાં જ અને તેનાં દફતરોમાં ભરાઈ ન રહો. લોકોમાં જાઓ, વિશ્વાસ મેળવો. ગાંધીજીનું આ કથન કેટલું મહત્ત્વનું છે તે અત્યારે તો વધારે સ્પષ્ટ થાય છે. કેન્દ્રના અને પ્રાન્તના મંત્રીઓ અને બીજા રાજપ્રમુખ જેવા મોટા હોદેદ્દારો સામાન્ય જનતામાં કેટલે અંશે ભળેહળે છે એમ જો કોઈ પૂછે તો એનો ઉત્તર છાપા અને લોકો એ જ આપે કે તેઓ અનેક જાતના ઉદ્ઘાટન સમારંભોમાં અને બીજા પ્રસંગોમાં લોકો સામે આવે છે અને સાધારણ લોકો તેમનાં મોઢાં જોવા પામે છે. આ વસ્તુ સ્વરાજ્યના મૂળમાં જ ઘા કરનારી છે. એક તો વાંચવા લખવા અને ફાઇલોને ઉથલાવવામાં જ બુદ્ધિશાળી મંત્રીઓની શક્તિ એટલી બધી ખરચાઈ જાય છે કે પછી તેમની હૈયાઉકલત બહુ જ ઘટી જાય છે. જો દરેક ખાતાનો મંત્રી પોતાને લાગતાવળગતા પ્રશ્નો પરત્વે પોતાને અધીન પ્રદેશમાં જાતે જ લોકોને મળે, તેમના મોઢેથી સીધી વાત સાંભળે અને તેમની સાથે વાતચીત કરે તો લોકો જરૂર એમ સમજવાના કે સરકાર આપણી છે. જ્યારે ગોરાઓ હતા ત્યારે તેઓ કદી મળતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001198
Book TitleSamaj Dharma ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Society, & Culture
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy