SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ છંદ નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૭૧ છંદોબંધને અનુલક્ષીને અપાયેલું નામ છે. પછી એ કૃતિ લઘુ સ્તુતિકાવ્ય હોય કે લાંબી કથનાત્મક રચના હોય પણ એના વિશિષ્ટ છંદોબંધને લઈને એની સાથે છંદ સંજ્ઞા જોડવામાં આવે છે. ડૉ. મંજુલાલ મજમુદાર એમના ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો' પદ્યવિભાગ) ગ્રંથમાં છંદ પ્રકારની ઓળખ આપતાં કહે છે કે છંદ એટલે અક્ષર કે માત્રામેળ – નિયમથી બનેલી કવિતા.” પ્રશ્ન એ થાય કે અક્ષરમેળ કે માત્રામેળ છંદોમાં રચાયેલી મધ્યકાળની રચનાઓ બધી “છંદ નામે ઓળખાઈ છે ? જૈન રાસાઓ ને પ્રબંધો બહુધા માત્રામેળ છંદોમાં રચાયા છે અને ક્વચિત્ આ માત્રામેળ છંદો કેટલાંક પાદપૂરકો કે લયાવર્તનો દ્વારા દેશમાં પણ રૂપાંતરિત થયા છે. ઘણી લોકકથાઓ ચોપાઈ-દોહરા જેવા માત્રામેળ છંદોમાં વિશેષ રચાઈ છે. જ્યારે આખ્યાનો ઘણુંખરું દેશીબદ્ધ કડવાંમાં રચાયાં છે. અક્ષરમેળ વૃત્તોનો ઉપયોગ મધ્યકાળમાં અલ્પપ્રમાણમાં જ થયો છે. એ રીતે ગુજરાતી કવિતા અપભ્રંશની પરંપરાને વિશેષ અનુસરી છે. માત્રામેળ છંદોમાં રચાયેલી આ રચનાઓ જો ચોપાઈમાં રચાઈ હોય તો ‘ચોપાઈ', કે દુહામાં રચાઈ હોય તો “દોમ્પક | દુહા' – એવા ચોક્કસ છંદનામે ઓળખાઈ છે, પણ માત્રામેળ છંદમાં રચાયેલી આ રચનાઓ બધી કાંઈ છંદનામે ઓળખાઈ નથી. તો પછી “છંદ પ્રકારસંશા શાનું સૂચન કરે છે ? શ્રી જયંત કોઠારી એમની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન' પુસ્તિકામાં “છંદને સંભવતઃ ચારણી પરંપરામાંથી આવેલો પ્રકાર ગણે છે. ચારણી સાહિત્યપરંપરાએ સંસ્કૃત પિંગળોમાં પ્રસિદ્ધ એવા અક્ષરમેળ-રૂપમેળ છંદોનો અને માત્રામેળ છંદોનો (મોતીદામ, ભુજંગપ્રયાત, તોમર, પદ્ધરી, તોટક, નારાચ, સવૈયા, દુહો, ઉધોર, ત્રિભંગી, ઝૂલણા, હરિગીત, રોળા, દુમિળા, છપ્પય વગેરે) તેમજ હિંગળના પિંગળોમાં ચર્ચિત છંદોનો રેણકી, ચર્ચરી, ઝમાળ, ભાખડી, સિંહચલો, ત્રકૂટબંધ વગેરે) – એમ ત્રણ પ્રકારના છંદોનો ઉપયોગ કર્યો છે. સાથેસાથે ચારણી સાહિત્યમાં અંત્યાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, યતિખંડોના આંતરપ્રાસ, વર્ણસંકલના, ઝડઝમક, રવાનુસારી શબ્દાવલિનો નાદવૈભવ – એ બધા પર વિશેષ ધ્યાન અપાયું છે. એટલે આ બધાના સમન્વયથી અસ્તિત્વમાં આવતો વિશિષ્ટ છંદોલય પણ છંદ ઓળખવાળી રચનામાં અભિપ્રેત હોવાનું સમજાય છે. જેમકે, આ શોધનિબંધ માટે પસંદ કરેલી કૃતિ “ગુણરત્નાકરછંદમાં જ અડયુલ્લ, રેડકી, પડી, દુહા, ત્રિભંગી, લીલાવતી, વૃદ્ધનારાચ, સારસી, ભુજંગપ્રયાત જેવા છંદોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy