SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ એ દુહા ઉમેરાયા છે. જર્મન સંપાદક લુડવિગ આલ્સફોર્ડ સંપાદિત કરેલ કુમારપાલપ્રતિબોધ ગ્રંથમાં દીપવિજયના આ દુહા આંશિક સ્વરૂપે પ્રગટ થયા છે. આ અંશત: પ્રકાશિત ૪ર દુહાને આધારે કહી શકાય કે એમાં સ્થૂલિભદ્રનું ચરિત્ર સંક્ષેપમાં રજૂ કરવામાં આવ્યું છે. રાજા નંદ, સકડાલનું કુટુંબ, સ્થૂલિભદ્ર બાર વરસ કોશાને ત્યાં વિતાવી સાડીબાર કરોડ જેટલા દ્રવ્યનો કરેલો વ્યય, સકડાલનું મૃત્યુ, અને કોશાને ત્યાં રાજાનું તેડું લઈ શ્રીયકનું આગમન – આટલું કથાનક તો આરંભના નવ દુહામાં જ કવિએ રજૂ કર્યું છે. પછીના દુહાઓમાં સ્થૂલિભદ્રને મંત્રીપદનો પ્રસ્તાવ, સ્થૂલિભદ્રનું ચિંતન, સંભૂતિવિજય પાસે સંયમસ્વીકાર એ પ્રસંગોનું કથન આવે છે. કોશાના વિરહને વર્ણવતા દુહાઓ અહીં છે. ઉ.ત. – ‘ચ્ચાર ઘડીની અવધિ કરી, આવ્યો આસાઢ માસ, કામણગારો કંતજી, (સખિ) નાવ્યો આજ અવાસ’ ગુરુનો આદેશ મેળવી ચૂલિભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા પહોંચ્યા. દાસીએ વધામણી આપતાં કોશા ધૂલિભદ્રને મળવા કેવી તત્પરતા બતાવે છે તે જુઓ : તવ ઊઠી સા સુંદરી, પ્રિઉને મલવા કાજ ચાતુક જિમ ચતુરાઈ હુઇ, તે ઊભી કરિ લાજ.' સંયમમાં દઢ રહી છેવટે સ્થૂલિભદ્ર ગુરુ પાસે આવ્યા. ગુરુએ વારંવાર દુષ્કર' કહીને એમને સન્માન્યા. ગુરુ કહે છે : ... ... ... તું જગ સાચો સીહ, કોસ્યાને પ્રતિબૂઝવી તેં રાખી જગ લીહ.” અંતિમ દુહાઓમાં લશ્રુતિ છે. કવિએ આ દુહાઓને ઉદયરત્નરચિત રાસઅંતર્ગત મૂક્યા છે તેનો ઉલ્લેખ આ અંતિમ કડીમાં મળે છે : એહ કીર્તિ સ્થૂલિભદ્ર તણી, ઉદયરત્ન નવ ઢાલ, દુહા દીપવિજે લખ્યા, ભણતાં મંગલ માલ.” જૈન સમાજમાં સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક એટલું લોકપ્રિય અને સુપ્રસિદ્ધ છે કે આ વિષય લઈને મધ્યકાળના જૈન સાધુકવિઓએ જુદે જુદે સમયે મધ્યકાલીન ગુજરાતીની પરંપરામાં દીર્ઘ અને લઘુ કાવ્યપ્રકારોવાળી અનેક રચનાઓ આપી છે. આપણે સ્થૂલિભદ્ર-કોશા વિષયક કૃતિઓની જે યાદી જોઈ તેને આધારે કેટલુંક વિશ્લેષણ કરીએ તો જણાશે કે છેક પ્રાગુ-નરસિંહયુગમાં લગભગ ૧૪મી સદીના આરંભકાળે અજ્ઞાત કવિ દ્વારા “સ્થૂલિભદ્રરાસ' રચાયો છે. એ જ સદીમાં શ્રી જિનપદ્રસૂરિએ “સિરિ ધૂલિભદ્રફાગુ' જેવી કાવ્યગુણે સભર એવી ફાગુરચના આપી ૬૮ / સહજસુંદકુત ગુણરત્નાકરદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy