SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્ર-કોશ.... / ૬૩ • શ્રી સ્થૂલિભદ્ર સજ્ઝાય કવિ ખુશાલવિજયની ૧૩ કડીની આ સઝાયકૃતિ છે. કવિનો સમય નિશ્ચિત નથી. સ્થૂલિભદ્રને પોતાને ત્યાં પરત આવેલા જાણી, કોશાના આનંદોદ્ગાર સાથે કૃતિનો આરંભ થાય છે. આજ મારે મોતીડે મેહ વુઠયા, દેવ દેવી સર્વે તુછ્યા, મેં તો જીવન નયણે દીઠા રે.’ કોશા સ્થૂલિભદ્રને ચિત્રશાળામાં ઉતારો આપે છે, ભાવતાં ભોજન જમાડે છે તેમજ વાજિંત્રગાન, શૃંગારસજાવટ, નાટકચેટક દ્વારા સ્થૂલિભદ્રને રીઝવવાના પ્રયાસો કરે છે છતાં સ્થૂલિભદ્ર આમાંનું કાંઈ જ મનમાં ધરતા નથી. સ્થૂલિભદ્રનો નિર્ણય આ છે, ‘હું તો પરણીશ શિવ-પટરાણી.’ સ્થૂલિભદ્રે સંયમની દૃઢતાથી કોશાને ભીંજવી અને સમિકતધારી બનાવી. • સ્થૂલિભદ્રજીની સજ્ઝાય કવિ શાંતિરચિત ૧૪ કડીની આ રચના છે. કવિની ઓળખ કે સમય અનિર્ણીત છે. ‘સજ્ઝાયમાલા’ (પ્રકા. પંડિત મફતલાલ ઝવેરચંદ)માં આ કૃતિ મયાવિજયજીને નામે દર્શાવાઈ છે. બાર વર્ષ સુધી ભોગવિલાસ ભોગવ્યા પછી રાજ્યનું તેડું આવતાં સ્થૂલિભદ્ર પાછા આવવાનો કોલ આપીને જાય છે તે પછીની કોશાની વિરહવેદનાને નિરૂપતી આ કૃતિ છે. કોશા સખીઓને દશે દિશામાં થૂલિભદ્રની તપાસ કરવા કહે છે. સ્થૂલિભદ્રને ઉપાલંભ આપતાં એ કહે છે કે ચાર ઘડીનો કોલ આપીને ગયેલા તમે હજી પાછા આવ્યા નહીં. તમે મને છેતરીને ગયા.’ કોશાની સ્થૂલિભદ્ર માટેની તત્પરતા, પ્રતીક્ષા, આતુરતાના ભાવો કવિએ સુંદર દૃષ્ટાંતોથી નિરૂપ્યા છે. જેમ બપૈયા મેહ, મચ્છને જલશું નેહ, આ ભમરાને મન કેતકીજી, ચકવો ચાહે ચંદ્ર, ઇન્દ્રાણી મન ઇન્દ્ર, આવ' કોશા પોતાના કર્મને દોષ દે છે. એટલામાં સ્થૂલિભદ્રનું આગમન થતાં કોશા આનંદિવભોર બને છે. સ્થૂલિભદ્રની અવિચલતા કવિ આ રીતે વર્ણવે છે : સો બાળક સાથે રોઈ, પાવઇયાને પાનો ન હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy