SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં સ્થૂલિભદ્ર-કોશા.... / ૪૭ સ્થૂલિભદ્રના પૂર્વગ્નેહને ઉપાલંભ આપતાં કોશા કહે છે : કંત જિસિધું તું નેહ ચિણઉઠી, ભીતરિ ભંગ જિ ધઉલી.” સ્થૂલિભદ્રને રીઝવવાના પ્રયાસો નિષ્ફળ જતાં કોશા વિચારે છે : ધમતાં લોહ તપઈ લોહાગરિ, પાવકિ પાથર પાચ, ગુણઈ ગીઅરસિ લીણીઈ ભુજંગમ, એ પ્રીય પ્રેમિ ને ભીજઈ.” અંતે કોશાના હૃદયપરિવર્તન અને ક્ષમાયાચના સાથે કૃતિ સમાપ્ત થાય છે. આલંકારિક ચિત્રાત્મક વર્ણનો અને કોશાના હૃદયભાવનિરૂપણને કારણે કૃતિ રસિક અને કાવ્યસ્પર્શવાળી બની છે. • સ્થૂલિભદ્ર નવરસ કવિ ઉદયરત્નની સં.૧૭૫૯માં રચાયેલી, આરંભના આઠ દુહાનું એકમ અને આઠ સ્વાધ્યાયો – એમ કુલ નવ ઢાળમાં વિભક્ત આ રચના છે. આ કૃતિ સ્થૂલિભદ્રરાસ અથવા સંવાદ એ નામે પણ ઓળખાવાઈ છે. આરંભની દુહાની ૮ કડીઓમાં, પિતાની હત્યા થયા બાદ શ્રીયક સ્થૂલિભદ્રને કોશાને ત્યાં તેડવા આવે છે ત્યાં સુધીનું કથાનક અતિ સંક્ષેપમાં કવિએ રજૂ કર્યું છે. તે પછીનું આખું કાવ્ય સ્થૂલિભદ્ર–કોશાના ઉદ્ગારો રૂપે જુદીજુદી ગેય દેશીઓમાં નિરૂપાયું છે. પહેલા સ્વાધ્યાયમાં સ્થૂલિભદ્રને રોકવાના પ્રયાસરૂપે કોશાનો સંવાદ છે. તે કહે છે : ... ..જાવા નહીં દઉં રે.. ઈમ કરતાં પણ જો તુમ્હ ચાલો તો મુંહનિ સાથઈં તેડો રે.” સ્વાધ્યાયની છેલ્લી પંક્તિમાં કથાનક ગતિ કરે છે. મુનિ ગયા અને સંયમ લીધો. બીજા સ્વાધ્યાયમાં આષાઢ માસની વષની પાર્શ્વભૂમાં કોશાના વિરહોગાર છે : ‘આવ્યો આષાઢો માસ ના'વ્યો ધુતારો રે. મુવિ ઝૂંધ્યો વિરહ-ભુજંગ, કોઈ ઉતારો રે.” ‘ઝરમર ઝરમર મેહલો વરસિં, ખલહલ વોંકલા વાજિ રે, બાપીયડો પીઉપીઉ પ્રકારે તિમતિમ દિલડું દાઝિ રે.” અંતિમ કડીમાં યૂલિભદ્રનું આગમન થતાં એમને મોતીડે વધાવાય છે. ત્રીજામાં, ધૂલિભદ્રના આગમનથી હવે મનના અભિલાષ ફળશે એવો કોશાનો આશાવાદી સૂર પ્રગટ થયો છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy