SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલિભદ્રકોશા કથાનકના આધારસોત ગ્રંથો... / ૩૭ લક્ષ જાય છે એમ કહેતાં ચોરો ફરી મુનિને રોકતાં મુનિ સત્ય કહી દે છે. ચોરો દયા આણી મુનિને જવા દે છે. થો.... અને ઉમા.”માં પણ આ કથાંશ લગભગ “શી”ને મળતો આવે છે. જોકે ભ.બા.વમાં ચોરોએ રત્નકંબલને લૂંટી લેતાં ફરી નેપાલ જવું પડ્યું એવો ઉલ્લેખ ઉ.મા. ને મળતો છે. મુનિ પાટલિપુત્ર આવ્યા અને ઉપકોશાને રત્નકંબલ આપ્યું. ઉપકોશાએ એ રત્નકંબલ વડે પોતાના પગ લૂછીને તેને દૂર અપવિત્ર સ્થાને ફેંકી દીધું. ત્યારે મુનિએ કહ્યું કે, “અરે નિભગિણી, આ તેં શું કર્યું ? આ રત્નકંબલ તો અતિ દુર્લભ છે.” તે સાંભળી વેશ્યાએ કહ્યું કે તમારાથી વળી અન્ય કોણ નિભગી-શિરોમણિ છે ? મેં તો આ લક્ષમૂલનું રત્નકંબલ અપવિત્ર જગામાં નાખી દીધું છે પણ તમે તો અમૂલ્ય અને અનંત ભવમાં પામવાં દૂર્લભ એવાં જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપી રત્નત્રયને નટ-વીટ પુરુષને ઘૂંકવાના પાત્ર જેવા અને અપવિત્ર મળમૂત્રથી ભરેલા એવા મારા દેહમાં ફેંકી દીધાં છે. માટે વગર વિચાર્યું કરનાર એવા તમને ધિક્કાર છે. આ મનુષ્યભવ દુર્લભ છે, તેમાં ઉત્તમ કુળ દુર્લભ છે, તેમાં ધર્મનું શ્રવણ દુર્લભ છે, તેમાં શ્રદ્ધા રૂપ તત્ત્વ દુર્લભ છે, અને તેમાંયે સાધુ ધમચરણ તો અતિ દુર્લભ છે. તે છતાં મુક્તિદાયી સાધુત્વને ત્યજીને મારા અંગમાં મોહ પામી, ચોમાસામાં પણ નેપાલ દેશમાં ગમન કરી, અનેક જીવોનો ઘાત કરી, ચારિત્રનો ત્યાગ કરવાથી દીર્ઘકાળ પર્યત નરક આદિ દુર્ગતિની વેદનાને તમે કેવી રીતે સહન કરશો ? ઉપકોશાનાં આ વચનો સાંભળી પુનઃ વૈરાગ્ય પ્રાપ્ત થવાથી તે મુનિ કહેવા લાગ્યા, તને ધન્ય છે. ભવભૂપમાં પડતા મારો તેં ઉદ્ધાર કર્યો છે. હવે હું દુષ્કૃત્યથી નિવૃત્ત થયો છું.' પછી તે મુનિ ગુરુ પાસે આવ્યા. ગુરુનાં ચરણોમાં પડ્યા અને સ્થૂલિભદ્રની ક્ષમાયાચના કરતાં કહ્યું કે “તમને ધન્ય છે. તમારું કામ અમારા જેવા સત્ત્વહીન જાણી શકે નહીં.” | મુનિએ ગુરુને કહ્યું કે, “હે સ્વામી, આપે સ્થૂલિભદ્રને ત્રણ વાર દુષ્કર કરનાર’ એમ કહ્યું તે સત્ય છે.” આમ કહી, પાપની આલોચના કરી, ફરીથી ચારિત્ર ગ્રહણ કરી તે મુનિ સદ્ગતિને પામ્યા. આ સિંહગુફાવાસી મુનિની કથાનો બોધ રજૂ કરતાં ઉ.મા.' કહે છે કે ગુરુની આજ્ઞા અનુસાર આચરણ કરવું તે જ શ્રેષ્ઠ છે. મુનિએ કામથી – સ્ત્રીથી અળગા રહેવું જોઈએ. નિર્ગુણી સાધુએ ગુણી સાધુજન ઉપર ઈષ્ય કરવી વ્યર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy