SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપકોશાએ મુનિને સ્થાન તો આપ્યું પણ પાછળથી એણે જાણ્યું કે આ મુનિ સ્થૂલિભદ્રની ઈર્ષ્યા કરીને અહીં આવેલા છે. તેથી ઉપકોશાએ સ્થૂલિભદ્રની ઈચ્છા કર્યાનાં માઠાં ફળ બતાવવાનો નિર્ણય કર્યો. એ પછી રાત્રે સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરી, મુખમાં તાંબુલ ચાવતી, ઝાંઝરનો રણકાર કરતી, કોકિલસ્વરનાદ કરતી ઉપકોશા મુનિ આગળ આવી હાવભાવ કરવા લાગી. કટાક્ષ નાખતી અને અંગોપાંગને મરડતી એવી તે મૃગલોચનાને જોઈને મુનિનું સુસ્થિર મન પણ પરવશ થઈ ગયું. કામવશ બનેલા તે સિંહગુફાવાસી મુનિએ ઉપકોશા પાસે ભોગ માટે પ્રાર્થના કરી. ત્યારે ઉપકોશાએ કહ્યું કે “અમે નિર્ધનનો આદર કરતાં નથી. માટે પ્રથમ ધન લાવો અને પછી ઈચ્છા પ્રમાણે વર્તો. - આ સાંભળી ધન મેળવવાના ઉપાય સંબંધી ચિંતન કરતાં મુનિને યાદ આવ્યું કે ઉત્તર દિશામાં નેપાલ દેશનો રાજા અપૂર્વ નવા સાધુને લક્ષમૂલ્યનું રત્નકંબલ આપે છે. એટલે ત્યાં જઈ, રત્નકંબલ મેળવી લાવી આ નારી સાથે વિષયસુખ સેવીને મનની ઈચ્છા પૂર્ણ કરવાનો વિચાર કર્યો. [‘શી', થો.', ઉ.વ , ઉપ્રા.' અને ભ.બા.વ.માં સિંહગુફાવાસી મુનિ કોશાને ત્યાં આવે છે; ઉપકોશાને ત્યાં નહીં. કોશા-ઉપકોશાના પાત્રભેદે બધા ગ્રંથોમાં આ કથાનક, કોઈકોઈ ગૌણ વીગતને બાદ કરતાં, મળતું આવે છે. ભLબાવમાં મુનિને કોશા નેપાળ જવાનું સૂચન કરે છે.] સિંહગુફાવાસી મુનિએ વષકાળમાં જ, પુષ્કળ વૃષ્ટિ થતી હોવા છતાં નેપાલ દેશ પ્રતિ પ્રયાણ કર્યું. ચોમાસામાં અસંખ્ય નાના જીવોની હિંસા કરતા અને અનેક કષ્ટો સહન કરતા આ મુનિ કેટલેક દિવસે નેપાલ દેશ પહોંચ્યા. રાજાને આશીર્વાદ આપી રત્નકંબલની માગણી કરી. રાજાએ મુનિને રત્નકંબલ આપ્યું. તે લઈને પાછા ફરતાં માર્ગમાં ચોરોએ તે લૂંટી લીધું. તેથી મુનિએ ફરી વાર નેપાલ જઈ રાજાને અરજ કરી. એટલે તેમને ફરીથી રત્નકંબલ આપવામાં આવ્યું. તે રત્નકંબલને વાંસમાં નાખી ગુપ્ત રીતે લાવતાં, એક પોપટે ચોરોને તે જણાવવાથી ચોરોએ મુનિને ઘેરી લીધા અને કહ્યું કે “તારી પાસે એક લાખનું રત્નકંબલ છે તે બતાવ.” મુનિએ કહ્યું, મારી પાસે કાંઈ નથી.” ચોરોએ કહ્યું, “અમારો પોપટ જૂઠું બોલે નહીં. માટે તું સાચું બોલ. અમે તે લઈશું નહીં.” મુનિએ સત્ય વાત જાહેર કરી ચોરોએ ભિક્ષુક જાણી તેમને જવા દીધા. " [શી.માં, ચોરોએ રત્નકંબલને લૂંટી લેતાં મુનિ પુન: નેપાલ જઈ બીજું રત્નકંબલ મેળવે છે એવું કથાનક નથી. પણ અહીં, પોપટ લક્ષ જાય છે' એમ કહેતાં ચોરો મુનિની તપાસ કરે છે. કાંઈ ન મળતાં જવા દે છે. એટલે પોપટ ફરીથી ૩૬ / સહજસુંદકૃત ગુણરત્નાકરછેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy