SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલિભદ્ર કહે છે, મૈથુનની વૃત્તિ વિશે આરૂઢ થયેલો જીવ નવ લાખ સૂક્ષ્મ જીવોને હણે છે એમ તીર્થંકર ભગવાને કહ્યું છે... વળી હે કોશા, આ વિષયો અનેક વાર ભોગવ્યા છતાં તૃપ્તિ તો થતી જ નથી. માટે સર્પઙ્ગા જેવા આ વિષયોને છોડી શીલ-અલંકારથી તારા અંગને અલંકૃત કર. સર્વ કાર્યોમાં ઉત્તમ કાર્ય ધર્મ છે.’ આમ ઉપદેશ આપી સ્થૂલિભદ્રે કોશાનું મન પલટાવ્યું. કોશાએ સમ્યક્ત્વ આપી પોતાનો ઉદ્ધાર કરવા સ્થૂલિભદ્રને કહ્યું. [શી.માં ઉ.મા.' જેવાં સ્કૂલિભદ્રનાં બોધવચનો નથી; કોશાના વ્યર્થ હાવભાવ સામે સ્થૂલિભદ્રની નિર્લેપતાનું જ વર્ણન છે : જેમ પર્વત ઉપર સિંહે મારેલી ફાળ મિથ્યા થાય તેમ કોશાના શૃંગારો ફોકટ થયા. અને વેશ્યાએ કરેલા ઉપસર્ગથી મુનિનું ધ્યાનતેજ વધારે ને વધારે વૃદ્ધિ પામવા લાગ્યું. આ જોઈને કોશાએ સ્થૂલિભદ્રની ક્ષમા માગી. લ્યો.”માં પણ સ્થૂલિભદ્રનાં બોધવચનો નથી. ઉપ્રા.માં એ સંક્ષેપમાં છે. પણ ભ.બા.નૂમાં સ્થૂલિભદ્ર વિસ્તારથી કોશાને બોધવચનો સંભળાવે છે.] સ્થૂલિભદ્રનું ગુરુજી પાસે પુનરાગમન આ પ્રમાણે સ્થૂલિભદ્રે કોશાને પ્રતિબોધ પમાડી. કોશાએ બાર વ્રત અંગીકાર કર્યાં અને પરમ શ્રાવિકા થઈ. રાજાએ મોકલેલા પુરુષ સિવાય અન્ય પુરુષનો હું વચનથી પણ સ્વીકાર કરીશ નહીં' એ પ્રમાણે તેણે ભોગ સંબંધી પચ્ચક્ખાણ (સંકલ્પ) લીધું. ચાતુર્માસ પૂર્ણ કરી સ્થૂલિભદ્ર સંભૂતિવિજય પાસે આવ્યા. પેલા ત્રણ મુનિઓ પણ એમના ચાતુર્માસ પૂરા કરી સ્થૂલિભદ્રની પહેલાં જ આવ્યા હતા. ગુરુએ તે ત્રણ મુનિઓનો દુષ્કર કાર્ય કર્યું’ એમ એક-એક વાર કહીને આદર કર્યો હતો. પરંતુ સ્થૂલિભદ્રને દુષ્કર કાર્ય કર્યું' એમ ત્રણ વાર કહીને વિશેષ માન આપ્યું. તે જોઈ સિંહગુફાવાસી મુનિના મનમાં ઈર્ષ્યા પેદા થઈ. મુનિને થયું, ‘ગુરુનો આ કેવો વિવેક ! ભૂખ-તરસથી પીડાયેલા અમોને દુષ્કર' એમ માત્ર એક વાર કહ્યું અને ષડ્સ ભોજન આરોગનારને અને મોહક સ્થાને રહેનારને દુષ્કર’ એમ ત્રણ વાર કહ્યું.’ ગુરુએ સ્થૂલિભદ્રને ત્રણ વાર દુષ્કર’ કહ્યાનો ઉલ્લેખ માત્ર ઉમા' છે. શીમાં ‘દુષ્કર દુષ્કર’ કહ્યાનો ઉલ્લેખ છે. ભબાતૃમાં એ વખતે ત્રણે મુનિઓ માંહોમાંહે સ્થૂલિભદ્રની ઈર્ષ્યા કરતાં કહે છે કે મંત્રીનો પુત્ર જાણીને ગુરુએ તેમને આ પ્રમાણે કહ્યું.' વળી તેઓ એમ પણ વિચારે છે કે જો ષડ્રસના આહારથી આમ થવાતું હોય તો આપણે પણ આવતા ચોમાસામાં તેવું જ તપ કરીશું. પછી એ સાધુઓએ આઠ માસ કષ્ટપૂર્વક વિતાવ્યા. ઉ.દૃમાં ગુરુએ પોતાના આસનેથી ઊભા થઈને સ્થૂલિભદ્રનો વિશેષ આદર ૩૦ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy