SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો અધિકાર / ૩૧૩ તવ ઘાલ્યઉ ખૂગઈ, માથું ધુણઈ, હા હા દેવદયાલ, એ ન ગમઈ પાસઉં, ઊઠી નાસ, મેહલ મુઝ મયાલ. ૨૯ ગદ્યાનુવાદ: પાશ (બંધન)માં પડેલો ને પરવશ તે કેમ છૂટે? (તે) બેઠો વિચાર કરે છે, “દુઃખરૂપી ફળ ભોગવીશું, એને કેમ પાર પાડશું? પોતે નક્કી એકલો છે. ત્યારે એને ખૂણામાં ઘાલ્યો. માથું ધૂણે છે, ‘હા હા, દૈવદયાળ, આ બંધન ગમતું નથી. ઊઠીને નાસું . હે દયાળુ, મને છોડી દ્યો.” વિવરણ: નરકની યાતનાનું વર્ણન. (કડી ૨૯થી ૩૬) અહીં બીજી પંક્તિમાંનો નિરધાર’ શબ્દ “નિરાધાર'ના અર્થમાં પણ લઈ શકાય. મધ્યકાળમાં નિરાધાર, અનાથ' એવા અર્થમાં પણ નિરધાર' શબ્દપ્રયોગ થયો છે. એ અર્થ લઈએ તો “પોતે નિરાધાર એકલો છે' એમ અન્વયાર્થ થાય. પાઠતર : ર૩, ટ છંદનું નામ નથી ગ, ૪, ૩, ૪ % જ ચાલિ. ૧ ટ... પડિઉં વિમાસિ મારિ મર્મપ્રહાર. ૨. છ ઈસું જાણી નિરધાર. ૩ ગ ઘાલઈ ર ઘાલિ. ૪ ૪ એક ન; દ ઊઠી જાસું ગ, ઘ મુર્ભ; સ દયાલ (“ખયાલ’ને બદલે). ધાયા ધર પામી, પરમાધામી, દીઠા દાનવ દીવ, કરાણી સંભારઈ, ઊપરિ મારઈ, બોલ મચારી જીવ, d) મદિરાપાન ચડ્યઉ રસિ છાકય કિમ દેતઉ નર ઘાલે, લાગઈ મુઝ વિરૂઉં, તાતું તરૂઉં, ત્રાળું નીર મ પાઉ. ૩૦ ગદ્યાનુવાદઃ એનું મૂળ () પામી જઈને પરમાધામી (નરકવાસીઓને શિક્ષા કરનાર દેવયોનિ) દોડી આવ્યા. એણે દેવ અને દાનવને જોયા. તેઓ એને કરણી યાદ કરાવે છે, ઉપરથી મારે છે, જીવને વચનના ટોણા મારે છે, “મદિરાપાનમાં (નશો) ચડેલો, રસમાં છકી ગયેલો તું કેમ નરને ઘા દે છે ?” મને એ વરવું લાગે છે. તપાવેલું ટીન (કલાઈ) અને તાંબાનું પાણી ન પાઓ. વિવરણ: આ કડીમાંનું આખું ચિત્ર પૂરેપૂરું સ્પષ્ટ થતું નથી. પાઠાંતર: ૧. ઇ ધાઈ (ધાયા ને બદલે); ૮ પર ધરીને બદલે); , ઇ ધામી (“પામીને બદલે); રવ, દૈવ ૪, ૮. ૪ દેવ (દીવાને બદલે). ૨. ૪ કારણ; નવલિ બોલ. ૩. ર૩, ગ, ઘ, ૨, ૪, ૫, ૬, ૮, ૩ તૂ પીતુ મદિરાપાન; ૨૩, ગ, ઘ, , , , ૩, ૪, ૩ છાક્યઉ' નથી. ૪. ૪ મુખ મુઝ'ને બદલે); આ સરઉં = ભાતું (‘તાતું'ને બદલે); ૨૨, ગ, ઘ, , ૫, ૩ ટ ત્રાબા ૪ શંબા (ત્રાબૂને બદલે); આ ખાય (પાઉ'ને બદલે). પાઠચર્ચા: બીજી પંક્તિમાં ૪ પ્રત સિવાય તમામ પ્રતો “કારણ'ને સ્થાને કરણી’ પાઠ આપે છે, જે વધારે અર્થસૂચક અને બંધબેસતો લાગવાથી સ્વીકાર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy