SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો અધિકાર / ૨૯૭ ઉન્હીં જલ લીજઇ આછણ પીઇ, નીરસ ધોઅણ નીર, મઇલા મલધારી, ભિક્ષાચારી, ન કરઇ સાર શરીર. ૮૭ ગદ્યાનુવાદ : નારી૨સ જતો (દૂર) કરવા, મદનને શમાવવા માટે કાયાક્લેશ (દેહદમન) કરવામાં આવે છે. તે પગપાળા ચાલે છે, વળી ઉનાળામાં વિશેષ તાપ સહે છે. ઊનાં જળ લે છે. આછરેલ પાણી (ચોખા વગેરેનું નિતરામણ) પીએ છે. એમને માટે તો ની૨સ ધોવણપાણી છે. મેલું મલમલ પહેરનારા ભિક્ષાચારીઓ શરીરની સંભાળ રાખતા નથી. વિવરણ : જૈન સાધુઓ ઠંડું – કાચું પાણી પીતા નથી. ઉકાળેલું પાણી ઠારીને પીએ. એ રીતે ચોખા વગેરેનું નિતરામણ તે આછણનીર જેને ધોવણ પણ કહે છે; આવું નીરસ આછણ-ધોવણ નીર તેઓ પીએ છે. પાઠાંતર : રવ, છ, ટ છંદનું નામ નથી ગ, જ્ઞ, ૐ છંદ ૬ ચાલ. ૧. ૬ નારી સ્યૂ જાવા; છ મનાવા જ્ઞ, સમા; સ્વ, ઘ, ચ, છ, ૫, ૬, ટ કાઆ/કાયા કઇ કલેસ, ૨. ૪ ચાલિ પર ચલિ વિવિધ ઉનાલેં; ન પગચાપાલઈ; ૧, ૬, ૬, ૪ વિચિ ઇ રેતુ ૪ અતિ (‘વલી’ને બદલે); ટ ઉનાલો; ૪, ૬ અસેસ (વિસેસ’ને બદલે). ૩. T પીજઇ (‘લીજઇ’ને બદલે); ૢ લીજઇ (‘પીજઇ’ને બદલે); s તંદુલ (‘નીરસ’ને બદલે). ૪. ૬ ભિખ્યાહારી. ઉંદિર માંજારી, તિજીઇ નારી, જિમરાયણિનીકોલ, કામાગિન ટલવા, નઈં નિ વલવા, સાચા શ્રી જિનબોલ, પદ્મિ કર્યું પવાડઉં, તૂર વજાડઉં, જીરૂં જગવિશ્રામ, જિનસોહ ચડાવઉં, કોશ પડાવઉં, ચંદ લિહાવઉં નામ. ૮૮ ગદ્યાનુવાદ : જેમ ઉંદર બિલાડીને ત્યજે અને રાયણના ઠળિયાને (તજવામાં આવે) તેમ સ્ત્રીને તજીએ. કામાગ્નિ દૂર કરવા અને મનમાં વળવા માટે શ્રી જિનેશ્વરની વાણી જ સાચી છે. હું પણ પરાક્રમ કરું, (વિજયનું) રણશિંગું વગાડું ને જગવિશ્રામને જીતું - · સંસારનું શમન પામું. જિનશોભા વધારું, સિક્કા પડાવું પ્રતિષ્ઠા મેળવું) અને એ રીતે ચંદ્રમાં નામ લખાવું (નામ કાઢું). વિવરણ : બાહ્ય દૃષ્ટિએ તો સ્થૂલિભદ્રનો કોશાના નિવાસસ્થાને ચાતુર્માસ કરવાનો નિર્ણય સાધુજીવનની નવ વાડ (મર્યાદા)થી વિપરીત લાગે. પણ સાચા ‘કામવિજેતા’ બનવા માટેના પડકાર રૂપે આ નિર્ણય છે. તેથી તો જૈન ચરિત્રકથાનકોમાં સ્થૂલિભદ્ર કામવિજયનું એક વિરલ દૃષ્ટાન્ત ગણાયા છે. એ પૂર્વાવસ્થાની પ્રેમિકા પાસે જશે પણ એ તો ‘કામાગ્નિ ટલવા, નઈં નિ વલવા માટે જ; માથે તો ચડાવ્યા છે સાચા શ્રી જિનબોલ.' પાઠાંતર : ૧. તિમ તિજિ (‘તિજીઇ'ને બદલે); ગ, ટ નીકોલિ. ૨. ૪ કામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy