SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ગદ્યાનુવાદ : નારી રૂપી સબળ સેનાસમૂહને જીતું. છયે રસના વિકારજન્ય આહારને ગ્રહું નહીં કે સ્પર્શે નહીં. ધર્મવંત પણ જેનાથી નાસે તેની પાસે જ રહીને હું તેના પાશમાં પડીશ નહીં. વિવરણ : જેનોમાં છ રસવાળા વિકારજન્ય આહારને ‘વિગય' કહે છે. આ છ રસ તે ૧. તિક્ત ૨. કટુ ૩. કષાય ૪. અમ્લ પ. મધુર ૬. લવણ. પાઠાંતર : ર૩, ગ, ઘ, 1, 2, 3 છંદનું નામ નથી જ અડલ્લ છંદ છે બિયાખરી છંદ, ૧. ૪, મારી કટિક; ઇ સબલહ જીવું; ર ગ્રહી; છ તસ છીપું. ૨. જઉ' નથી; ટ તે નાસૈ; નાસહ; 9, 8 પાસહ. પાઠચચ : ૪, પ્રત સિવાય બાકીની પ્રતો “મારી' પાઠને સ્થાને “નારી’ પાઠ આપે છે. મારી’ પણ બંધ બેસે, પણ નારી-કટિક'નું રૂપક અહીં સ્પષ્ટ બનતું હોઈ અને ઘણી પ્રતોનો એને ટેકો હોઈ એ પાઠ સ્વીકાર્યો છે. મયણબાણ મહિલા જગ મારરિ, ત્યાગી ત્યાગ કરઈ તિણિ કારણિ, નવ વિધિ વાડિ કરી ગુણ થાવા, ખપઈ તપઈ નારીરસ જાવા. ૮૬ ગદ્યાનુવાદ : સ્ત્રી જગતને મદનબાણ મારનારી છે. તે કારણે ત્યાગી તેનો ત્યાગ કરે છે. ખંત અને તપથી નારી માટેનો રસ દૂર કરવા માટે તથા ગુણ થાય તે માટે નવ પ્રકારની (સંયમની) વાડ કરી છે. વિવરણ: જૈન ધર્મમાં સાધુને માટે શિયળની – ચારિત્ર્યની નવ વાડ (મયદા) બાંધેલી છે. તે આ પ્રમાણે છે : ૧. સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત એવા સ્થાને વસવાટ. ૨. સ્ત્રીની સાથે રાગપૂર્વક કથા-વાતનો ત્યાગ. ૩. સ્ત્રી જે આસને બેઠી હોય તે સ્થાને બેસે નહીં. ૪. સ્ત્રીનાં અંગોપાંગો રાગપણે ન જોવાં. ૫. સ્ત્રી-પુરુષ સૂતાં હોય ત્યાં ભીંતની આડશે ન રહેવું. ૬. પૂર્વે સ્ત્રી સાથે ભોગવેલાં સુખ ન સંભારવાં. ૭. વિકાર જગવે એવો સુસ્વાદુ આહાર ન કરવો. ૮. નીરસ આહાર પણ અધિક માત્રામાં ન લેવો. ૯. પોતાના દેહની શોભાથી અળગા રહેવું. પાઠાંતર : ૧. ૪ નયણબાણ. ૨. રવ નવિ વિધા; છ ગુણ ગાવા; રુ ખાઈ જાઈ ૨ ખપિ તપે. પાઠચચ : બીજી પંક્તિમાં સિવાયની બધી જ પ્રતો ખાઈ જપ'ને સ્થાને ઉચ્ચારભેદે ખાઈ તપઈ પાઠ આપે છે. વિષયસંદર્ભે તપઈ પાઠ જ બંધબેસતો ગણાય. વળી બાકીની બધી જ પ્રતોનો એને ટેકો હોઈ એ પાઠ સ્વીકાર્યો છે. ઇદ હાટકી નારીરસ જાવા મયણ સમાવા કીજઈ કાયકિલેશ, ચાલઈ પગપાલઈ વલી ઉત્પાલઈ તાવડ સહઈ વિસેસ, ૨૯૬ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy