SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો અધિકાર | ૨૭૧ વાર સાંભળવાથી, બીજીને બે વાર સાંભળવાથી. એમ અનુક્રમે સાતમીને સાત વાર સાંભળવાથી યાદ રહી જતું. આ વિદ્યાથી રાજસભામાં એમણે શકટાલના ઈષળુિ પંડિત વરરુચિ બ્રાહ્મણને ઝાંખો પાડ્યો. આ વરરુચિ રોજ ૧૦૮ નવાં કાવ્યો રચી નંદરાજાની સ્તુતિ કરતો. પણ તે મિથ્યાત્વી હોઈ શક્ટાલ એની પ્રશંસા કરતો નહીં. તેથી રાજા પણ વરરુચિને કાંઈ આપતો નહીં. શwાલે રાજાને કહ્યું કે આ કવિ જે કાવ્યો કરે છે તે તો મારી પુત્રીઓને પણ આવડે છે. બીજે દિવસે મંત્રીએ સાતેયને પડદાની અંદર બેસાડી. દરેક પુત્રી અનુક્રમે એક વાર, બે વાર, ત્રણ વાર એમ સાંભળીને કાવ્ય બોલી ગઈ. આથી રાજા વરરુચિ ઉપર ક્રોધે ભરાયો. પાઠાંતર ઃ ૨. ન કહું (“કરઈ'ને બદલે); ૪ વિદ્યાના બલ માટિ. (છેલ્લું ચરણ) સૂતઉ સાપ જગાડીલ, પંડિત છેડઈ જામ, ગંગાતટિ બદ્ધ કરી. બાહરિ કાઢઈ દ્રામ. ૧૦ ગદ્યાનુવાદ : પંડિતને છેડ્યો એટલે સૂતેલા સાપને જગાડ્યો. પંડિત) ગંગાકિનારે બુદ્ધિપૂર્વક નાણું બહાર કાઢે છે. વિવરણ : છંછેડાયેલા વરરચિએ એક યુક્તિ કરી. તે હંમેશાં ગુપ્ત રીતે આગલી સાંજે ગંગાના જળમાં ૧૦૮ સોનામહોરોની પોટલી મૂકી આવતો ને બીજે દિવસે ગંગાસ્તુતિનો ડોળ કરી જાણે ગંગાએ પ્રસન્ન થઈ મહોરો આપી હોય તેમ ગ્રહણ કરતો. શકાટાલ મંત્રીએ તેના આ કપટની વાત ગુપ્ત અનુચરોથી જાણી લીધી ને વરરુચિએ ગંગામાં મૂકેલું દ્રવ્ય અનુચરો દ્વારા મંગાવી લીધું. પછી બીજે દિવસે વરરુચિનું કૌતુક જોવા નંદ રાજા મંત્રી સાથે ગંગાકાંઠે આવ્યા. વરરુચિએ સ્તુતિ કરી પણ દ્રવ્ય મળ્યું નહીં. તે લજ્જિત થયો. શwાલે અગાઉથી મંગાવેલી સોનામહોરોની પોટલી વરરુચિને પાછી આપી. પાઠાંતર ઃ ૧. ૨૪, ગ, ઘ, , , ટ, ૪ એરિઉછેડિG; ટ દામ (જામને બદલે). ૨. ૨૪, , , ૪, , ૮ ગંગાતટિ તેણિ બુદ્ધિ કરી; , ૪ કાઢિઉ. પાઠચર્ચા: પહેલી પંક્તિમાં ૨ પ્રતના છેડઈને સ્થાને છેડિઉછેરિઉનું વ્યાપક પાઠાંતર મળે છે. પણ જામ’ અને ‘દ્રામના અંત્યાનુપ્રાસની જેમ જ નજીકના છેડ’ અને ‘કાઢઈનો પ્રાસ બેસતો હોઈ મુખ્ય પ્રતનો પાઠ યથાવતુ જાળવ્યો છે. વળી એને અન્ય પ્રતોનો આધાર તો છે જ. કુતકલા મહિલઈ લડી, પંડિત ભાગઉ ભરમ. પીડવર્ક પંડિત પરિકરઈ, દૂહઉ લિખઈ સમરમ્મ. ૧૧ ગદ્યાનુવાદ : મહેતાએ કપટકલા પામી જઈને પંડિતનો ભ્રમ ભાંગ્યો – એનું રહસ્ય ખુલ્લું કરી નાખ્યું. સપરિવાર પીડાયેલો પંડિત મર્મભર્યો દૂહો લખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy