SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો અધિકાર / ૧૯૧ નિીચે ખોદતાં ધનનું મોટું નિધાન પ્રાપ્ત થયું. ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં આવતી કથાનું તાત્પર્ય એ છે કે સ્થૂલિભદ્ર જ્ઞાનનો પરીષહ કરી શક્યા નહીં. “શ્રી વિચારસાર' નામના પ્રકરણમાં આવો ઉલ્લેખ મળે છે : સો જયઉ થુલભદ્દો, તિન્ન પમન્નાઈ જાયા હૈં, સીહવિઉવાં ગમખં, કહાં અત્યસ્સ મિત્તાણું.” (સાધ્વી શ્રી યક્ષાને આવતાં જોઈને) સિંહનું રૂપ કરવું, (ધનદેવ મિત્રને ત્યાં) જવું અને મિત્રને દ્રવ્ય ક્યાં છે તે કહેવું – બતાવવું એ ત્રણ પ્રમાદ જેમનાથી થયા છે એવા શ્રી યૂલિભદ્ર જયવંતા વર્તો. આ કડીની બીજી પંક્તિમાં કેટલીક પ્રતો મંત્રને સ્થાને મિત્ર પાઠ આપે છે. એ પાઠ લઈએ તો મંત્રપ્રભાવે ધનનું ઠામ દેખાડીને ધનદેવને સુખી કર્યો. એને બદલે “મિત્ર ધનદેવને ધનનું ઠામ દેખાડીને સુખી કર્યો' એમ અન્વયાર્થ થાય. આ કડીની પાંચમી પંક્તિમાં, બહેનોને સ્થૂલિભદ્ર સિંહરૂપ દશવ્યિાનો જે ઉલ્લેખ છે તેનું કથાનક આ પ્રમાણે છે : એક વાર, સ્થૂલિભદ્રની સાત દીક્ષિત બહેનો વિહાર કરતી સાધુ બનેલા ભાઈને મળવા આવી. તેઓ સ્થૂલિભદ્રના ગુરુ ભદ્રબાહુને પૂછે છે કે “સ્થૂલિભદ્ર ક્યાં છે ?' ગુરુએ કહ્યું, “અશોકવાટિકામાં બેઠા સ્વાધ્યાય કરે છે.' ત્યારે સ્થૂલિભદ્ર પોતાની બહેનોને આવતી જોઈ કૌતુકની ઈચ્છાથી સિંહનું રૂપ ધારણ કર્યું. બહેનો ભય પામી ગુરુ પાસે પાછી ગઈ ને કહ્યું કે ભાઈને તો સિંહ ખાઈ ગયો છે. ગુરુએ દુ:ખ ન કરવાનું આશ્વાસન આપી કહ્યું કે, “તમારો ભાઈ કુશળ છે. પુનઃ ત્યાં જઈ એને પ્રણામ કરો.” બધી બહેનો ત્યાં ગઈ ને ટ્યૂલિભદ્રને જોઈ વંદના કરી. સ્થૂલિભદ્ર પોતે સિંહરૂપ ધારણ કર્યાનું કબૂલ્યું. સ્થૂલિભદ્રનો આ જ્ઞાનનો વિકાર જોઈ ગુરુ ભદ્રબાહુએ એમને દશ પૂર્વે પછીનાં બાકીનાં ચાર પૂર્વોનું માત્ર સૂત્ર-જ્ઞાન જ આપ્યું અર્થ-જ્ઞાન આપ્યું નહીં ચૌદ પૂર્વેનું જ્ઞાન ધરાવતા હોવાને કારણે સ્થૂલિભદ્ર “શ્રુતકેવલી' કહેવાયા. પાઠાંતર : ર૪, ગ છંદનું નામ નથી ઇ, ટ કલશ ૩, ૪ કવિત્વ. ૧. ઇ પંક્તિ નથી; ગ, ૩, ૪ નડિઉં. ૨. ૪ પંક્તિ નથી; ૪ કરી; રવ, ગ, ઘ, ઝ, ટ, ૩ મિત્ર; ગ, ૩, ૪ દિવાડી. ૪. ૩ સંધ્યમધારી. ૫ ૬ બિહિણિ; ર૩, પ, ૬, , ૫, રુ, ૮. ૪ જાણી કરી. ૬ ન. ૪, સદા (‘નમઉને બદલે). જોયો જસુ પ્રતિબોધ, ધર્મનલ રંગ બઈઠ6 નર આવ્યઉ રથવાહ, કોશમનિ થયઉ અબીઠ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy