SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૩) પ્રતપરિચય # પ્રત લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. હસ્તપ્રત સૂચિક્રમાંક ૨૬૪૫. પ્રતનાં કુલ પત્ર ૨૧ છે. પ્રતના પાનાની લંબાઈ ૨૪.૫ સે મિ. છે. તથા પહોળાઈ ૧ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સેમિ. જેટલી જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડઆકૃતિ કરી કોરી જગા છોડી છે ને એમાં ચાર અક્ષરો પૂરેલા છે. હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૪ કે ૧૫ લીટી છે. એક લીટીમાં ઘણુંખરું ૪૩-૪૪ અક્ષરો છે. પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલો છે. જ્યારે પાછળની બાજુએ ડાબી તરફના હાંસિયામાં કૃતિનામ “ગુણરત્નાકરછંદ' ઉપરના છેડે લખેલું છે. હાંસિયાની બન્ને બાજુ બે લાલ રેખાઓ કરી વચ્ચે હળદરિયા રંગની પૂરણી કરી છે. તેમજ બન્ને બાજુ પાનાની છેક ધાર પાસે પણ બે લાલ રેખાની વચ્ચે હળદરિયા રંગની પૂરણી કરી છે. કડીક્રમાંક તેમજ છંદનામ ઉપર ગેરુઆ રંગનાં નિશાન છે. પ્રત્યેક કડીક્રમાંકની ડાબી બાજુએ બે ઊભા દંડ કરેલા છે ને ચરણને અંતે એક દંડ છે. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ છે. પ્રત સુવાચ્ય છે. અક્ષરો મોટા, મરોડદાર, સુઘડ, સુંદર અને એકધારા લખાયેલા છે. પડિમાત્રા અને ઊભી માત્રા બન્નેનો ઉપયોગ થયો છે. પ્રતની લિપિ જૈન જણાય છે. બ્રહ્મ' જેવા શબ્દમાં ૪ નો ૪ મળે છે. ખ' માટે ૨૪ અને ૬ બન્ને ચિહ્નનો ઉપયોગ થયો છે. જેમકે શિરવ, નરવ પણ છે અને મનમુNT (૧.૧૦.૧), રવાના (૧.૫૯.૨), સુષી (૧.૬૦૧) જેવા શબ્દો પણ છે. “જને સ્થાને ‘ય’ પણ પ્રયોજાયો છે ચરચા (૧.૫૯.૨), વર્મન સરકી (૨.૧૮.૨). ‘ગુણરત્નાકરછંદની આ પ્રતની લેખનસંવત ૧૭૧૬ વૈશાખ સુદ ૧૦ મંગળવાર મળે છે. લેખન-સ્થળ પાટણ છે. કૃતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ | આકારના ઊભા બે દંડ છે. આરંભ આ પ્રમાણે છે : દવા શ્રી ગુરુભ્યો નમ: ૧૫૪ / સહજસુંદરકત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy