SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણરત્નાકરદની સમીક્ષા / ૧૩૭ અહીં માત્રા, યતિ બરાબર જળવાયાં છે. છેલ્લા ૧૪ માત્રાના પતિને હજી બન્ને ચરણમાં ૮ + ૬માં વહેંચી શકાય એમ છે. યત્યન્ત આંતરપ્રાસો તેમજ ચરણાન્ત પ્રાસ જળવાય છે. છેલ્લે બે ગુરને વિકલ્પ આવતો “સ’ ગણ ( -) બન્ને ચરણમાં છેડે છે. વૃદ્ધનારાચ છેદ : આ છંદને ચારણી પરંપરામાં દૂણો અદ્દો' પણ કહે છે. દૂણો અઠ્ઠી એટલે છંદમાપમાં ૮ અક્ષરને બેવડાવીને ૧૬ અક્ષર કરવા તે. આ છંદમાં દરેક ચરણમાં ૧૬ અક્ષર હોય છે. અને લઘુગુરુનો ક્રમ આ રીતે જળવાય છે. લગા લગા લગા લગા લગા લગા લગા લગા = ૧૬ અક્ષર શું વ દેહ રૂ૫ રે હું કામ ગે હું ગજ જ એ - - - - - - - - ઉ રતુ થ હા ૨ હી રચી રક ચુકી વિરજૂ જ એ = ૧૬ અક્ષર અહીં ચરણાન્ત પ્રાસ મળે છે. પ્રત્યેક ચરણમાં મળતા આંતપ્રાસ પણ ધ્યાન ખેંચે છે. પદ્ધડી છદ : આ છંદ ચારણી પરંપરામાં પદ્ધરી, પધડી' નામે પણ ઓળખાય છે. બૃહતું પિંગલમાં એને માટે પદ્ધતિ' એવું નામ પણ મળે છે. આ છંદ અપભ્રંશમાં જ વિશેષ કરીને વપરાયો છે. ગુજરાતીમાં એ ક્વચિત જ વપરાયેલો જોવા મળે છે. પણ ડિંગળમાં એનો પ્રયોગ વિશેષ થયો છે. કવિ કિસનાજી પદ્ધડીપાધડી છંદનાં લક્ષણો આ પ્રમાણે આપે છે. દરેક ચરણમાં ૧૬ માત્રા અને દરેક ચરણને અંતે જ' ગણ ( - ). બંધારણમાં પ્રાસ અંગે નિર્દેશ નથી. બ્રહ, પિંગલમાં શ્રી રા. વિ. પાઠક નોંધે છે કે ચાર ચતુષ્કલ સંધિઓ અને ચરણને અંતે પ્રાસ હોય ત્યારે “પદ્ધરી’ છંદ થાય. અંત્ય ચતુષ્કલ “જ' ગણ હોય (U — ) અથવા ચાર લઘુ (UUUU)નું હોય. બૃહત્ પિંગલ' આ છંદનાં માત્રા-તાલ આ પ્રમાણે આપે છે : દાદા દદ્દા દાદા લદાલ. (તાલ ૧, ૫, ૯, ૧૩ માત્રા ઉપર પડે) ૧૧૧૨ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ નવનવી ભોગ લીલા વિલાસ = ૧૬ માત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy