SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ એકથી વધારે હસ્તપ્રતોના પાઠ નોંધવા, તેનો નિર્ણય કરવો, ને દેશી શબ્દોનો સંગત અર્થ આપવો – આ બધું તેઓએ ઘણી સારી રીતે કર્યું છે. સાચે જ તેઓ ધન્યવાદના અધિકારી છે અને આ ગ્રંથને આવકારતાં હૃદય આનંદનો અનુભવ કરે છે. આજે આવા પ્રાચીન અને કદમાં મોટા કહી શકાય તેવા ગ્રંથનાં કામ કરનારા જ ક્યાં છે ? ઘણા વિદ્વાન/વિદ્યાર્થીઓને આવા મધ્યકાલીન ગ્રંથો સાથે કામ પાડતા જોયા છે ત્યારે તેઓ થોડુંક કામ કરે ત્યાં પ્રશ્નો આવે તેથી તેઓ મંદઉત્સાહી બને અને માંડી વાળે. - આવાં નીરસ જણાતાં કામોમાં તો નાળિયેર જેવો અનુભવ થાય છે. જે માણસો નાળિયેરના ઉપરના બરછટ, ખરબચડા પડને ભેદવાની ધીરજ અને શક્તિ ધરાવે છે, હાથથી કે બીજાની મદદથી પણ તેમાં મંડ્યા રહે છે તેમને જે મધુરમધુર જળ અને મીઠું ટોપરું ખાવા મળે છે તેનો સ્વાદ તો જે માણે તે જ જાણે. શ્રી કાન્તિભાઈ આવા કામમાં કંટાળ્યા નથી બલ્ક તેમણે તો આમાંથી લખલૂટ રસ જ લૂંટ્યો છે અને લૂંટીને ગૂંજે ન ભરતાં બીજાને લૂંટાવ્યો છે, આપણા બધાને આ રસાળ ખજાનો સુલભ બનાવ્યો છે. તેમને તો આ કવિ સહજસુંદરની રચનામાં એ કવિના વિશેષનામમાં કાવ્યના વિશેષણ તરીકે જ દર્શન થયાં છે. જે સહજસુંદર હોય તેને જ કાવ્ય કહેવાય અને આ કાવ્ય સહજસુંદર છે.' આને રસિક બુધજનો સારી રીતે માણે, તેની ખૂબીઓ પિછાને અને કાવ્યના અન્તસ્તત્ત્વને પામીને તેના રસાસ્વાદ દ્વારા પોતાની જિજ્ઞાસાને પરિપુષ્ટ કરીને શ્રી કાન્તિભાઈના પરિશ્રમને સાર્થક બનાવે એ જ શુભકામના. પ્રદ્યુમ્નસૂરિ અક્ષયતૃતીયા વિ.સં.૨૦૫૪ અમદાવાદ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy