SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ અનુસરતા છે. ઉ.મામાં કોશાને ત્યાંથી પાછા ફરેલા ધૂલિભદ્રને ગુરુ દુષ્કર કાર્ય કર્યું એમ ત્રણ વાર કહીને વિશેષ માન આપે છે. અહીં, “દુક્કર દુક્કર તઈ વછ કિધ્ધી એમ બે વાર કહીને માન આપે છે; એમાં “શી.'નું અનુસરણ છે. ત્રણે મુનિઓને સ્થૂલિભદ્રની ઈર્ષ્યા થઈ એ પ્રસંગ બધાં કથાનકોમાં છે. ‘ઉ.મા.” તેમજ અન્ય ગ્રંથોમાં રથકારનું કથાનક આવે છે, જેમાં રથકારે એની શરસંધાનની નિપુણતા દશવી એની સામે કોશાએ એનું નૃત્યકલાકૌશલ્ય બતાવ્યું. રથકારે કોશાની પ્રશંસા કરી કહ્યું કે આ કઠિન કામ છે. ત્યારે કોશાએ માર્મિક જવાબ આપતાં કહ્યું કે “શરસંધાનથી આંબાની લંબ તોડવી તે પણ કઠિન નથી કે સરસવ પરનું નૃત્ય પણ કઠિન નથી; કઠિન તો તે છે જે સ્થૂલિભદ્ર કર્યું. રથકાર કોશાના આ ઉત્તરથી પ્રતિબોધ પામી સ્થૂલિભદ્ર પાસે જઈ ચારિત્રગ્રહણ કરે છે એવો પ્રસંગ છે. અહીં કૃતિના લગભગ આરંભે સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિ કરતાં કવિ એક જ કડીમાં આ કથાનકનો સંક્ષપ્તિ નિર્દેશ કરે છે. રથકાર નહીં પણ રથવાહ - સારથીનો ઉલ્લેખ અહીં થયો છે. યૂલિભદ્ર કોશાને ત્યાંથી પાછા ફરી ભદ્રબાહસ્વામી પાસે જઈ ચૌદ પૂર્વેનું અધ્યયન કરે છે તેની વાત બધાં મૂળ કથાનકોમાં આવે છે. એમાંયે દશપૂર્વોનું જ્ઞાન અર્થથી અને પછીનાં ચાર પૂર્વોનું જ્ઞાન કેવળ સૂત્રથી જ ગુરુએ કેમ આપ્યું એની વીગતવાર કથા “શી.”, “ભ.બા..', થો.” વગેરેમાં આવે છે. પણ અહીં કવિએ સ્થૂલિભદ્રના આ ઉત્તરચરિત્રની વાતને આલેખવાનું ઉચિત ગણ્યું નથી. કેવળ, સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિ રૂપે ભદ્રબાહુનઈ પાટિ એ આવ્યા અને એમને દશપૂર્વધર એવા મહાગિરિ અને સુહસ્થી શિષ્યો હતા એના ઉલ્લેખો જ કરવાનું પર્યાપ્ત માન્યું “શી.માં, જ્યારે સ્થૂલિભદ્ર ભદ્રબાહુસ્વામી પાસે અધ્યયન માટે ગયા ત્યારે પોતાને વંદન કરવા આવતી બહેનોને જોઈને કૌતુક ખાતર સિંહરૂપ પ્રગટ કરી બહેનોને ભયભીત કરી એ પ્રસંગનો પણ અહીં સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિ-અંતર્ગત કેવળ એક જ પંક્તિમાં ઉલ્લેખ જ કરવામાં આવ્યો છે, “આવતી બહિનિ દેખી કરી, સીહ રૂપ દાખ્યઉ વલી.” યો.” અને “ભ.બા.વ.માં ભદ્રબાહુ સ્વામી વિશેના વિસ્તારથી મળતા કથાનકમાં આ કવિ સહેજ પણ ગયા નથી. એ જ રીતે શી.' આદિ કથાનકોમાં બહેન યક્ષાએ શ્રીયકના મૃત્યુનો વૃત્તાંત સ્થૂલિભદ્રને કહી સંભળાવ્યો એનું જે વિસ્તૃત આલેખન છે એને પણ કવિ સ્પશ્ય નથી. ‘ઉ.મા.” કે “શી.’ આદિ ગ્રંથોમાં નહીં, પણ ૧૦૨ સહજસુંદરકૃત ગુણરત્નાકરછેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy