SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ગુણરત્નાકરછંદની સમીક્ષા / ૧૦૧ કરી એમની પાસે રહ્યા એ પ્રસંગ ‘ઉ.મા.’ને અનુસરે છે. ‘ઉ.મા.’માં સ્થૂલિભદ્રના સંયમ-અંગીકારની કોશાને જાણ થતાં વિલાપ કરવા લાગી એ પ્રસંગનો ઉપયોગ કરી વિએ કોશાની હૃદયવ્યથા અને વિરહવેદનાના નિરૂપણની સુંદર તક લીધી છે. લગભગ ૨૬ કડીઓમાં યમકપ્રયોગ સાથેનું આ વર્ણન અલંકારસમૃદ્ધ અને વિપ્રલંભશૃંગારનું નિષ્પાદક બન્યું છે. ‘શી.’માં વરુચિ પંડિત સાથેની શ્રીયકની વેરની વસૂલાતનો કિસ્સો વિસ્તારથી કહેવાયો છે. આ વસૂલાત માટે શ્રીયક કોશા દ્વારા કોશાની બહેન ઉપકોશાને મદદમાં લે છે. માળીને શીખવ્યા પ્રમાણે મદનફળના ચૂર્ણવાળું કમળપુષ્પ વરુચિને રાજસભામાં અપાય, વરુચિ તે સૂંઘે, તેને ઊલટી થાય અને એ તકનો લાભ લઈ એણે મદ્યપાન કર્યું હોવાનું આળ વરચિ ઉપર મુકાય ને પિરણામે એ તિરસ્કૃત – બહિષ્કૃત થાય આ આખાયે પ્રસંગનો ‘ગુણરત્નાકરછંદ’માં ક્યાંયે નિર્દેશ થયો નથી. ત્રણ મુનિઓ અને સ્થૂલિભદ્ર આગામી ચાતુર્માસ ગાળવાનો સંભૂતિવજય ગુરુ પાસે આદેશ માગે છે એ કથાનક ઉ.મા.’ને અનુસરે છે. સ્થૂલિભદ્ર ચાતુર્માસ માટે કોશાને ત્યાં ગયા, કોશા હર્ષ પામી, સ્થૂલિભદ્ર કોશાની ચિત્રશાળામાં રહ્યા, કોશાએ બાર વર્ષનો જૂનો સ્નેહ તાજો કરવાનો પ્રયત્ન કર્યો, ભોગવિલાસ માટે ઇજન આપ્યું, એ મૂળના કથાનકને કવિ અહીં અનુસર્યા છે. અરથીઉ વ્યસની થયઉ એહ, તઉ આવીયઉ મિન ધરીઅ નેહ' એમ અહીં કોશા સ્થૂલિભદ્રને જોઈને વિચારે છે તે પ્રસંગમાં ‘શી.’ અને ભ.બા.પૃ.'ને કવિ અનુસર્યા છે. ત્યાં કોશાને એવો તર્ક કરતી બતાવી છે કે ‘સ્થૂલિભદ્ર ચારિત્ર સહન ન કરી શકવાથી અને પૂર્વના સ્નેહથી જ મારે ઘેર પુનઃ પધાર્યા છે. વ્રતનો ભંગ કરીને તેઓ આવ્યા જણાય છે.' સ્થૂલિભદ્ર કોશાને પ્રતિબોધે છે એ પ્રસંગ ઉ.મા.’માં છે. ત્યાં મૂળમાં મુખ્ય વાત એ છે કે ‘અપવિત્ર અને મલમૂત્રના પાત્ર સમાન કામિનીના દેહને આલિંગવાને કોણ ઇચ્છે છે ? સ્ત્રીને નરકના દ્વાર સમી ત્યાં વર્ણવી છે. મૈથુનને કારણે લાખો સૂક્ષ્મ જીવોની થતી હિંસાની વાત એમાં કહેવાઈ છે. અસંખ્ય ભોગ ભોગવ્યા પછી પણ વિષયની તૃપ્તિ થતી નથી. અહીં પણ, કોશાને પ્રતિબોધતાં સ્થૂલિભદ્ર વિષયને મોટો વેરી કહી એના વ્યાપ અને પ્રભાવને વર્ણવે છે. વિષયને અગ્નિ, કળણ, ધાડપાડુ, મધુબિંદુ, નરકનો દૂત જેવી ઉપમાઓ આપી એના દુષ્કૃત્યને કવિએ વર્ણવ્યું છે. પણ તે ઉપરાંત કવિએ અહીં ગવિકાસની પ્રક્રિયા, ગર્ભસ્થ જીવની વેદના, નારકીનાં દુ:ખો અને પરમાધામીઓના જુલ્મો પણ વર્ણવ્યા છે. અંતે કોશા સંપૂર્ણપણે સમ્યક્ત્વથી ભીંજાઈ ગઈ, પ્રતિબોધ પામી અને પરમ શ્રાવિકા બની એ ઉલ્લેખો મૂળ કથાનકોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy