SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૨૩૬] સમભિરૂઢ નય એટલે શું ? ઉત્તર- એક જ વસ્તુના વાચક પર્યાયવાચી શબ્દોમાં જે અર્થભેદ કરે તે સમભિરૂઢ નય, જેમ કે નૃપ-ભૂપ-નૃપાલ-ભૂપાલ-નૃપતિ-ભૂપતિ અને રાજા આ બધા શબ્દોનો અર્થ સામાન્યથી રાજા એમ એક હોવા છતાં પ્રકૃતિ અને પ્રત્યય-પ્રમાણે જુદો જુદો અર્થ કરે છે. મનુષ્યોનું રક્ષણ કરે તે નૃપ, પૃથ્વીનું રક્ષણ કરે તે ભૂપ, મનુષ્યોનું પાલન કરે તે નૃપાલ, પૃથ્વીનું પાલન કરે તે ભૂપાલ ઇત્યાદિ વ્યુત્પત્તિ ભેદે અર્થભેદ માને તે સમભિરૂઢ નય. પ્રશ્ન- [૨૩૭] એવંભૂત નય એટલે શું? ઉત્તર- જે શબ્દનો જેવો અર્થ થતો હોય તેવી જ અર્થક્રિયા ચાલુ હોય ત્યારે જ તે શબ્દ પ્રયોગ કરે તે એવંભૂત નય. જેમ કે રાજા જ્યારે લડાઇમાં ઉતરી પ્રજાનું રક્ષણ કરતો હોય તે કાળે જ નૃપ, જ્યારે ભૂમિને બચાવતો હોય ત્યારે જ ભૂપ, ઇત્યાદિ અર્થક્રિયા સ્વીકારે તે એવંભૂત નય. પ્રશ્ન- [૨૩૮] આ નયો એ શું હશે? શું તેવા તેવા કોઈ મનુષ્યો છે કે શું છે ? ઉત્તર- નયો એ કોઈ માનવો નથી. પરંતુ માનવોના વિચારો, માનવોની જે દૃષ્ટિ, માનવોના મનના જે સંકલ્પો, વિચારસરણીઓ, વિવક્ષાઓ તે નયો કહેવાય છે. એક જ વસ્તુના વિચાર પ્રત્યે ભિન્ન ભિન્ન માનવની જે ભિન્ન ભિન્ન વિચારસરણી તે નય કહેવાય છે. પ્રશ્ન- [૨૩૯] શાસ્ત્રોમાં નિશ્ચયનય અને વ્યવહાર નય પણ આવે છે તે શું છે ? ઉત્તર- વસ્તુના બાહ્યસ્વરૂપને જે પ્રધાન કરે તે વ્યવહારનય અને અત્યંતર સ્વરૂપને જે પ્રધાન કરે તે નિશ્ચયનય, જેમ કે પ્રતિક્રમણની કરાતી ક્રિયાને પ્રતિક્રમણ કહે તે વ્યવહાર નય અને પાપોની આલોચનાનો હૈયાની અંદર રહેલો જે ભાવ તેને પ્રતિક્રમણ કહે તે નિશ્ચયનય. કારણને કાર્ય માને તે વ્યવહાર નય. અને કાર્યને કાર્ય માને તે નિશ્ચયનય, જેમ કે પુસ્તક-પાટી-પોથી-આદિને જ્ઞાન માને તે વ્યવહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy