SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ “નવતત્ત્વ પ્રકરણ” અને માનસિક બહુ બળવાળા હોય છે. ઉપસર્ગો-પરિષદો સહન કરે છે પરંતુ અપવાદમાર્ગ સેવતા નથી. ૯ માંથી ૪ તપ કરે છે, ૪ સેવા કરે છે અને ૧ ગુરુ બને છે. એમ ૬ માસ પૂર્ણ કરે છે ત્યાર બાદ વારો બદલે છે. તપ કરનાર સેવા કરે છે, અને સેવા કરનાર તપ કરે છે. અને ગુરુ તેના તે જ રહે છે. એમ ૬ માસ ગયા પછી ગુર પોતે તપ કરે છે બાકીના ૮ માંથી ૧ ગુરુ બને છે અને ૭ સેવા કરે છે. એમ ૧૮ મહીને આ તાપૂર્ણ થાય છે. તેને પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે. પ્રશ્ન- [૧૭૫] જે મુનિઓ તપ કરે છે તેઓને તપ કેટલો કરવાનો ? તથા સેવા કરનારા અને ગુરુ બનનારાને કંઈ તપ કરવાનો કે નહી ? ઉત્તર- તપ કરનારા મુનિઓ ઉનાળો હોય તો જઘન્યથી ચોથભક્ત, મધ્યથી છઠ્ઠભક્ત, અને ઉત્કૃષ્ટથી અઠ્ઠમભક્ત તપ કરે છે અને શીયાળો હોય તો એક ઉપવાસ વધારે કરે છે. અને ચોમાસુ હોય તો બે ઉપવાસ અધિક કરે છે. સેવા કરનારાઓ અને ગુરુ મહારાજ પ્રતિદિન આયંબીલનું તપ કરે છે. . પ્રશ્ન- [૧૭] ઉપસર્ગ અને પરિષદમાં તફાવત શું ? ઉત્તર- આપત્તિ-સંકટ-દુઃખ કોઈ મનુષ્યવડે, દેવવડે, કે પશુપક્ષી વડે કરાતું હોય તે ઉપસર્ગ કહેવાય છે. અને કોઈ વ્યકિતવડે ન કરાતું હોય પરંતુ કુદરતી આવી પડ્યું હોય તો તે પરિષહ કહેવાય છે. પ્રશ્ન- [૧૭૭] નિર્જરા એટલે શું ? તેના ભેદો કેટલા ? ઉત્તર- જુનાં બાંધેલા કર્મો તોડવાં, અંશે અંશે વિનાશ કરવો તે નિર્જરા. તેના ૧૨ ભેદો છે. ૬ બાહ્યતપ અને ૬ અત્યંતર તપ. પ્રશ્ન- [૧૭૮] બાહ્યતપ એટલે શું? તેના ૬ ભેદો કયા કયા? ઉત્તર- જે શરીરને તપાવે, શરીરને શોષે, લોકો જોઈ શકે, જે તપનાં માન-સન્માન થાય, લોકો જેનાથી તપસ્વી કહે એવો જે તપ તે બાહ્યતા. તેના (૧) અણશન, (૨) ઉણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy