SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૧૭૨] સામાયિક એટલે શું ? તેના પ્રતિભેદો કયા કયા ? ઉત્તર- સમતાભાવની પ્રાપ્તિ, આત્માનું રાગ-દ્વેષથી પર બની સમભાવમાં આવવું તે સામાયિક, તેના (૧) અલ્પકથિત અને (૨) થાવત્કથિત એમ બે ભેદો છે. જે સામાયિક અલ્પકાળ માટે લેવાય, જેમ કે ભરતક્ષેત્રમાં પહેલા-છેલ્લા તીર્થંકર ભગવન્તોના શાસનમાં દીક્ષા આપતી વખતે પ્રથમ છ માસની દીક્ષા અપાય છે તે અલ્પકથિત. અને પ્રથમથી જ માવજીવ સુધીનું સામાયિક કરાવાય, જેમ કે ભરત ક્ષેત્રમાં ૨૨ તીર્થંકર ભગવન્તોના શાસનમાં, તથા મહાવિદેહમાં સદાકાળ પ્રથમથી જ સામાયિક ઉચ્ચરાવાય છે તે યાવત્કથિત. પ્રશ્ન- [૧૭૩] છેદોપસ્થાપનીય એટલે શું ? તેના પ્રતિભેદો કયા કયા ? ઉત્તર- જાનુ ચારિત્ર છેદી નવું ચારિત્ર ઉચ્ચરાવવામાં આવે તે છેદોપસ્થાપનીય તેના બે ભેદો છે (૧) નિરતિચાર અને (૨) સાતિચાર. પહેલા અને છેલ્લા તીર્થંકર ભગવત્તોના શાસનમાં લઘુ દીક્ષા આપ્યા પછી ઉત્કૃષ્ટથી ૬ માસમાં વડીદીક્ષા. જે અપાય છે તે, તથા એક તીર્થકર ભગવંતના શાસનના સાધુસંતો બીજા તીર્થંકર ભગવંતનું શાસન સ્થપાય ત્યારે તેમાં ફરીથી દીક્ષિત થાય તે નિરતિચાર જેમ પાર્શ્વનાથ ભગવંતના સાધુઓએ પ્રભુ શ્રી મહાવીર સ્વામીના શાસનમાં પુનઃ પાંચ મહાવ્રતો વાળી દીક્ષા લીધી તે. - તથા ગ્રહણ કરેલાં વ્રતોમાં કોઈ શીલભંગ આદિ મહાદોષ સેવાઈ જાય તેના કારણે ફરીથી દીક્ષા આપવામાં આવે તે સાતિચાર. પ્રશ્ન- [૧૭૪] પરિહાર વિશુધ્ધિ એટલે શું? તેનું સ્વરૂપ શું ? ઉત્તર- પરિહાર એટલે તપ, જે ચારિત્રમાં તપ કરવા દ્વારા વિશુધ્ધિવિશેષ છે. તેનું નામ પરિહારવિશુધ્ધ ચારિત્ર. આ ચારિત્ર આચરનારા ૯ વ્યકિત સાથે નીકળે છે. શારીરિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy