SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- શરીરમાં આ પાંચ બહારથી દેખાય છે માટે બાહ્મેન્દ્રિયો કહેવાય છે. અને મન અંદરની ઇન્દ્રિય છે. એટલે મનને અત્યંતરેન્દ્રિય, નોઇન્દ્રિય, અથવા અનિન્દ્રિય કહેવાય છે. બહારની પાંચે ઇન્દ્રિયોની સાથે મન ભળે તો જ તે ઇન્દ્રિયો વિષયને જાણે છે. સાંખ્યદર્શનકારો બીજી પાંચ કર્મેન્દ્રિયો પણ માને છે. પરંતુ તે અસાધારણક્રિયા હેતુ ન હોવાથી ઇન્દ્રિયો કહેવાતી નથી. ૪૪ પ્રશ્ન- [૧૦૮] આ પાંચ ઇન્દ્રિયોના બીજા ભેદો છે ? ઉત્તર- મુખ્ય બે ભેદો છે : (૧) દ્રવ્યેન્દ્રિય (૨) ભાવેન્દ્રિય, પુદ્ગલની બનેલી જે ઇન્દ્રિયો તે દ્રવ્યેન્દ્રિય તેના પણ બે ભેદો છેઃ નિવૃત્તિ અને ઉપકુણ, નિવૃત્તિના પણ બે ભેદો છે બાહ્ય અને અત્યંતર, વિષયો જાણવાની આત્માની જે શક્તિ તે ભાવેન્દ્રિય, તેના પણ બે ભેદ છે : (૧) લબ્ધિ અને (૨) ઉપયોગ, (૧) બહારથી કાન-નાક-આંખના જે પુદ્ગલાકારો દેખાય છે તે બાહ્યનિવૃત્તિદ્રવ્યેન્દ્રિય, જે મ્યાન જેવીમાત્ર સંરક્ષક જ છે. પરંતુ કાર્ય કરનાર નથી. (૨) અંદરના ભાગમાં જે પુદ્ગલાકારપણે ઇન્દ્રિયો છે તે અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, જે તલવાર સમાન છે. (૩) અંદર રહેલી અત્યંતરનિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયમાં વિષય જાણવાની જે શક્તિ છે તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય, જે તલવારની ધાર સમાન છે. (૪) આત્મામાં પ્રગટ થયેલી વિષય જાણવાની જે શક્તિ - તે લબ્ધિ ભાવેન્દ્રિય, જે તલવાર ચલાવવાની આવડતી ક્લા સમાન છે. (૫) આત્મામાં પ્રગટ થયેલી વિષય જાણવાની શક્તિનો જે વપરાશ કરવો તે ઉપયોગ ભાવેન્દ્રિય, જે તલવારની કલાનો ઉપયોગ કરવા તુલ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy