SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા કરવાનું મન ઢીલું થઈ જાય. વ્રત જતું કરવાનું મન થઈ જાય. સામાન્ય સંજોગોમાં પણ વ્રત હાથમાંથી ચાલ્યું જાય. પ્રશ્ન- [૪૧] પચ્ચકખાણ કયાં કયાં લેવું જોઈએ ? - ઉત્તર- સવારે પ્રતિક્રમણ ટાઈમે આત્મસાક્ષીએ, દેરાસર જઈએ ત્યારે દેવની સાક્ષીએ, અને ઉપાય જઈએ ત્યારે ગુરુની સાક્ષીએ એમ ત્રણની સાક્ષીએ પચ્ચકખાણ લેવું જોઈએ. પ્રશ્ન- [૪૨] પચ્ચકખાણ કયારે લેવું જોઈએ ? ઉત્તર- જે ટૂંકા કાળનાં પચ્ચકખાણો છે તે સૂર્યોદય પહેલાં લેવાં જોઈએ જેમ કે નવકારશી-પોરસી-સાઢપોરસી-એકાસણું-બેસણું-આયંબીલ વિગેરે. જે લાંબા કાળનાં પચ્ચકખાણો છે તે સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય પછી પણ લઈ શકાય છે; જેમ કે ઉપવાસ -છઠ્ઠ અઠ્ઠમ -અઠ્ઠાઈ વિગેરે. એટલા જ માટે ટૂંકા કાળના પચ્ચકખાણોમાં “ઉગએ સુરે” પાઠ આવે છે અને લાંબા કાળના પચ્ચકખાણોમાં “સુરે ઉગ્ગએ” પાઠ આવે છે. તેનો અર્થ ઉપર મુજબ છે. પ્રશ્ન- [૮૩] પચ્ચકખાણના પ્રકારો કેટલા ? અને કયા કયા ? ' . ઉત્તર- પચ્ચક્ખાણો શાસ્ત્રમાં અનાગત -અતિક્રાન્ત આદિ ૧૦ ભેદોવાળાં છે. પરંતુ તેમાં આપણા જીવનમાં વધારે પ્રચલિત અને ઉપયોગી દસમું અધ્ધા પચ્ચકખાણ છે. પ્રશ્ન- [૮૪] અધ્ધા પચ્ચકખાણ એટલે શું ? તેના ભેદો કેટલા ? - ઉત્તર- અધ્ધા એટલે કાળ, સમય, જે પચ્ચખાણમાં વધારે વધારે સમય સુધી આહારનો ત્યાગ થતો હોય તે અધ્ધા પચ્ચકખાણ. તેના પણ ૧૦ ભેદો છે. (૧) નવકારશી, (૨) પોરિસી, સાઢપોરિસી (૩) પુરિમઢ, અવઢ, (૪) એકાશન – બીઆસન, (૫) એકલઠાણું, (૬) આયંબીલ, (૭) ઉપવાસ, (૮) દિવસચરિમ, (૯) અભિગ્રહ અને (૧૦) વિગઈનું પચ્ચખાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy