SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક પ્રકરણ (૩) પખ્ખી, ચાર-ચાર મહિને કરાતું પ્રતિક્રમણ તે (૪) ચાતુર્માસિક, અને બાર મહિને કરાતું પ્રતિક્રમણ તે (૫) સંવચ્છરી પ્રતિક્રમણ કહેવાય છે. પ્રશ્ન- [૬૪] પખ્ખી - ચઉમાસી અને સંવચ્છરી પ્રતિક્રમણ કયા દિવસે કરાય ? ફાગણ ઉત્તર- શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં દરેક માસની શુક્લ પક્ષની અને કૃષ્ણપક્ષની ચૌદસના દિવસે પખ્ખી, કારતક અને અષાડ સુદ ૧૪ ના દિવસે ચઉમાસી, અને ભાદરવા સુદ ૪ ના દિવસે સંવચ્છરી પ્રતિક્રમણ કરાય છે. તેમાં પણ ખડતર ગચ્છ, અંચલગચ્છ આદિમાં ભાદરવા સુદ ૫નું સંવચ્છરી પ્રતિક્રમણ કરાય છે. શ્વેતાંબર સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયમાં મૂર્તિપૂજકથી એક દિવસ પાછળ -એટલે શુકલપક્ષની પૂનમ અને કૃષ્ણપક્ષની અમાવાસ્યાએ પખ્ખી, કારતક, ફાગણ અને અષાડ સુદ પૂનમનું ચઉમાસી, ભાદરવા સુદ ૫ નું સંવચ્છરી પ્રતિક્રમણ કરાય છે. દિગંબર સંપ્રદાયમાં ભાદ૨વા સુદ ૫ થી ૧૪ ના પર્યુષણમાં અન્તે સંવચ્છરી કરાય છે. જેને દશલક્ષણી પર્વ કહેવાય છે. પ્રશ્ન- [૬૫] આ ત્રણે પ્રતિક્રમણમાં પરસ્પર તફાવત શું ? ઉત્તર- (૧) પખ્ખી પ્રતિક્રમણમાં ૧૨ લોગસ્સનો, ચઉમાસી પ્રતિક્રમણમાં ૨૦ લોગસ્સનો, અને સંવચ્છરી પ્રતિક્રમણમાં ૪૦ લોગસ્સ ઉપરાંત એક નવકારનો કાઉસ્સગ્ગ કરાય છે. Jain Education International ૨૭ - - For Private & Personal Use Only (૨) પખ્ખી પ્રતિક્રમણમાં દેવસિઅં ને બદલે પખ્ખીઅં, ચઉમાસી પ્રતિક્રમણમાં ચઉમ્માસીઅં, અને સંવચ્છરી પ્રતિક્રમણમાં સંવચ્છરીઅં પાઠ બોલાય છે. (૩) કરેલાં પાપોના પ્રાયશ્ચિત્ત માટે કરવા લાયક તપનો પાઠ જુદો જાદો આવે છે. પખ્ખીમાં એક ઉપવાસ, બે આયંબીલ, ત્રણ નીવિ, ચાર એકાસણાં, આઠ www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy