SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 'આવશ્યક પ્રકરણ પ્રશ્ન- [૫૪] એ છ આવશ્યકો ક્યાં ક્યાં ? ઉત્તર- (૧) સામાયિકાવશ્યક - સમતાભાવની પ્રાપ્તિ. આત્માને કષાયોનો અભાવ થાય, રાગ-દ્વેષની પરિણતિ ઓછી થાય, આત્મસ્વરૂપનું ચિંતન મનન કરી શકે, કર્મક્ષય કરી નિર્જરા દ્વારા મોક્ષપ્રાપ્તિ કરી શકે એવી સમભાવવાળી જે અવસ્થા તે સામાયિક આવશ્યક. આ સમભાવ સ્વરૂપ સામાયિક પ્રાપ્ત કરવા માટે શ્રાવક શ્રાવિકાના જીવનમાં ઘર વ્યવસાયનો ત્યાગ કરી બે ઘડી સર્વસાવદ્યયોગ છોડવાપૂર્વક સામાયિક કરવામાં આવે છે. (૨) ચવિસત્યો આવશ્યક - જેમાં ચોવીસ તીર્થંકર ભગવન્તોની સ્તુતિ કરવામાં આવી છે. એવો સૂત્રપાઠ કરવો, ચોવીસે તીર્થકર ભગવત્તોની સ્તુતિ વંદના - પ્રાર્થના ગુણગાન કરવા, તેઓશ્રીની ભક્તિમાં અત્યંત લીન થઈ જવું. તે ચઉવીસન્થો આવશ્યક. (૩) વંદન આવશ્યક - દેવ ગુરુને ભક્તિભાવ પૂર્વક વંદન પ્રણામ કરવા નમસ્કાર કરવા તે. (૪) પ્રતિક્રમણ આવશ્યક - રાત્રિ - દિવસ દરમ્યાન કરેલાં જે પાપો તેની ક્ષમા યાચના કરવી, ફરીથી તેવાં પાપો ન થાય તે માટે સજાગ રહેવું પાપોથી પાછા હઠવાની મનોવૃત્તિ કેળવવી તે પ્રતિક્રમણાવશ્યક. (૫) કાઉસ્સગ્ન આવશ્યક - કરેલાં પાપોના પ્રાયશ્ચિત્તરૂપે કાયાની તમામ ચેષ્ટા રોકીને આત્માને પ્રભુના ધ્યાનમાં એકાગ્ર કરવો, તે કાઉસ્સગ્નઆવશ્યક. (૬) પચ્ચખાણ આવશ્યક – કરેલાં પાપોના પ્રક્ષાલન માટે, તથા ફરીથી આવાં પાપો કરવાની બુદ્ધિ ઉત્પન્ન ન થાય તે માટે કંઈક અંશે વિરતિધર્મ સ્વીકારવો તે પચ્ચકખાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy