SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ - આગમ પ્રકરણ વા | પ્રશ્ન-[૩૪]“આગમ” એટલે શું ? સૌ પ્રથમ “આગમો” કોણ બનાવે ? અને તે આગમોને જૈનશાસ્ત્રમાં શું કહેવાય છે ? ઉત્તર- “આ”એટલે ચારે તરફથી અર્થાત્ બધી જ રીતે, “ગમ” પદાર્થો જેના વડે જણાય. એટલે જેના વડે પદાર્થો સંપૂર્ણ પણે અને યથાર્થપણે જણાય તે આગમ. સૌ પ્રથમ ગણધર ભગવન્તો ૧૨ આગમ બનાવે છે. તેને જૈનશાસનમાં “દ્વાદશાંગી” કહેવાય છે. મૂળ આગમને અંગ કહેવાય છે. પ્રશ્ન- [૩૫] બાર અંગોનાં નામો શું ? ઉત્તર- (૧) આચારાંગ, (૨) સૂયગડાંગ, (૩) ઠાણાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતીજી, (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદશાંગ, (૮) અંતગડદશાંગ, (૯) અનુત્તરોવવાઈ (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર (૧૨) દૃષ્ટિવાદ પ્રશ્ન-[૩૬]-આ બારે અંગો કઈ ભાષામાં રચાયેલાં છે ? તથા અત્યારે ઉપલબ્ધ છે કે નહીં ? * ઉત્તર- બારમું દૃષ્ટિવાદ અંગ હાલ ઉપલબ્ધ નથી. વિચ્છેદ પામેલ છે. બાકીનાં ૧૧ અંગો મળે છે. તે પ્રાકૃત અર્ધમાગધી ભાષામાં રચાયેલ છે. તેના ઉપર સંસ્કૃત ભાષામાં ટીકાઓ રચાયેલી છે. તેનાં ગુજરાતી ભાષામાં ભાષાન્તરો પણ થયેલાં છે. પ્રશ્ન- [૩૭]-અત્યારે ૪૫ આગમો છે. એમ સંભળાય છે તેનો અર્થ શું ? ઉત્તર- મૂળભૂત આ ૧૧ અંગો તે જ આગમો છે. તેના ઉપરથી ખાસ પ્રયોજનપણે રચાયેલાં, તેના જ અર્થને વધુ સ્પષ્ટ કરનારાં, કર્તાના વિશેષપણાથી બીજાં પણ કેટલાંક શાસ્ત્રોને આગમ કહેવાય છે. તે મળીને કુલ ૪૫ આગમો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy