SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ૧૩ યશોભદ્રસૂરિ, સંભૂતિવિજયજી, ભદ્રભાસુસ્વામી તથા સ્યુલિભદ્રમુનિ આર્યમહાગિરિ, આર્યસુહસ્તિગિરિ વિગેરે પ્રસિદ્ધ આચાર્યો મુખ્યત્વે પટ્ટધર થયા છે. પ્રશ્ન- [૩૩આજ સુધી ચાલી આવતી આ પાટ પરંપરામાં પ્રભાવક, અનેક શાસ્ત્રોનું સર્જન કરનાર, મુખ્ય ક્યા ક્યા આચાર્યો થયા છે ? ઉત્તર- ૧) શ્રી સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરજી. જેઓએ સમ્મતિતર્ક આદિ અનેક ગ્રંથો બનાવ્યા, વિક્રમ રાજાને પ્રતિબોધ કર્યો. (૨) શ્રી વાદિદેવસૂરિજી – જેઓએ “પ્રમાણનયતત્ત્વાલોક' તથા તેના ઉપર દરીયાતુલ્ય સ્યાદ્વાદરત્નાકર ટીકા બનાવી, જે ઘણા વાદીઓના વાદોના પ્રતિકાર રૂપ છે. - (૩) શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ - જેઓએ સામાયિકાવશ્યક ઉપર આકરગ્રંથ રૂપ “વિશેષાવશ્યકમહાભાષ્ય” બનાવ્યું. (૪) શ્રી ઉમાસ્વાતીજી કે જેઓએ જૈનદર્શનના સારને સમજાવતો તત્ત્વાર્થાધિગમસૂત્ર તથા તેના ઉપર ભાષ્ય બનાવ્યું. (૫) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી જેઓએ સિદ્ધરાજની વિનંતિથી “સિદ્ધહેમ વ્યાકરણ” તથા તેના ઉપર ટીકા, કાવ્યાનુશાસન, અભિધાન ચિંતામણિ, લિંગાનુંશાસ અયોગવ્યવચ્છેદિકા,અન્યયોગવ્યવચ્છેદિકા યોગશાસ્ત્ર, તથા ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર આદિ મહાકાય ગ્રંથોનું સર્જન કર્યું છે. તથા કુમારપાલ અને સિદ્ધરાજને પ્રતિબોધી જૈનશાસનની મહાપ્રભાવના કરેલી છે. (૬) શ્રી હરિભદ્રસૂરિજી - જેઓએ ૧૪૪૪ ગ્રંથોની સંસ્કૃત પ્રાકૃત ભાષામાં અદ્વિતીય રચના કરી મહાપ્રભાવના કરી છે. અધ્યાત્મમાર્ગ, યોગમાર્ગ, ક્રિયામાર્ગ, આદિ અનેકવિધ વિષયો ઉપર સર્વતોમુખી પ્રતિભા દ્વારા અનુપમ સર્જન કરેલું છે. (૭) શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી - જેઓએ કાશીમાં અભ્યાસ કરી મહામહોપાધ્યાયની પદવી પ્રાપ્ત કરી, ખંડનખાદ્ય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy