SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૨૭] જો ભગવાન જગન્ - ઉદ્ધાર માટે પુનર્જન્મ ધારણ કરતા ન હોય તો રાવણ જરાસંઘ આદિ અસુરોના વિનાશ માટે રામ- કૃષ્ણાદિના અવતાર સંભળાય છે. તે વાત કેમ સમજવી? ઉત્તર- રાવણ - જરાસંધ જેવા બળવાન અને દુષ્ટ પ્રકૃતિવાળા જે જે અસુરો થયા તેના વિનાશ માટે રામ અને કૃષ્ણાદિના જે અવતાર થયા છે. તે વાત સત્ય છે. પરંતુ રામ અને કૃષ્ણ તરીકે જન્મ પામનારી વ્યક્તિઓ ગયા ભવમાં ભગવાન્ હતા એમ ન સમજવું તેઓ આ સંસારમાં જન્મ-મરણ પામતા પામતા કોઈ વિશિષ્ટ પ્રકારનું પુણ્યકર્મ કરી વાસુદેવ તરીકે જન્મ્યા છે સંસારમાં જ હતા, અને સંસારમાંથી જ જન્મ્યા છે. પ્રશ્ન- [૨૮] તીર્થકર ભગવન્તો જે ધર્મદેશના આપે છે તેની ગુંથણી = રચના કોઈ મહાત્માઓ કરે છે કે બોલાયેલું સર્વ વિનાશ પામે છે ? ઉત્તર- તીર્થકર ભગવન્તોની બોલાયેલી ધર્મદેશનાને તેમના પ્રથમ નંબરના શિષ્યો અર્થાત્ ગણધરો શાસ્ત્રરૂપે રચે છે સંસ્કૃત પ્રાકૃત ભાષામાં બધી જ વાણી ગુંથી લે છે અને તેને આગમ કહેવાય છે. પ્રશ્ન- [૨૯]- ગણધર ભગવાન્ કોને કહેવાય ? ઉત્તર- ગણ એટલે ગચ્છ અથવા સમુદાય, તેને ધારણ કરે તે, અર્થાત્ ગચ્છના નાયક, ગચ્છના ભારને ધારણ કરનારા જે મહાત્માઓ તે ગણધર કહેવાય છે. તીર્થકર ભગવંતોના પ્રથમ પંકિતના શિષ્યો તે ગણધર કહેવાય છે. ઋષભદેવ પ્રભુના ૮૪, અને મહાવીર સ્વામી પ્રભુના ૧૧ ગણધર ભગવન્તો હતા. પ્રશ્ન- [૩૦] પ્રભુ શ્રી મહાવીર સ્વામીના ૧૧ ગણધરોનાં નામ, ગામ, માતા, પિતાનું નામ, ગૃહવાસ, છદ્મસ્થપર્યાય, વિગેરેનું માપ કેટલું ? ઉત્તર- પ્રભુ શ્રી મહાવીર સ્વામીના ગણધર ભગવંતોનાં નામ વિગેરે મા પ્રમાણે - જે.પ્ર.મા.-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy