SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ખસનો રોગ વધે જ છે. તથા અનેક જીવોની હિંસા વિના ભોગસુખ શક્ય નથી. અનેક પાપો બંધાવાના કારણે ભવાન્તરમાં દુર્ગતિ જ થાય છે. માનવભવ અવશ્ય દુર્લભ છે પરંતુ તે ભોગો માટે નહીં, પરંતુ ધર્મ કરવા માટે છે. ભોગોની પ્રાપ્તિ તિર્યંચ-દેવ આદિ ભવોમાં પણ સુપ્રાપ્ય છે.પરંતુ ધર્મની પ્રાપ્તિ અન્ય ભવોમાં સુલભ નથી, માટે ભોગસુખ ત્યાજ્ય જ છે. પ્રશ્ન- [૨૫] જો ભોગસુખો અસાર - તુચ્છ અને ત્યજવાલાયક જ હોય તો તીર્થકર ભગવન્તોએ લગ્નાદિ સંસારવ્યવહાર કેમ કર્યા? તેઓએ ભોગસુખનો સ્વીકાર શા માટે કર્યો ? ઉત્તર-તીર્થકર ભગવન્તો આદિ મહાત્મા પુરુષો ભોગસુખોને અસારતુચ્છ અને ત્યજવાલાયક માને છે, જાણે છે અને સમજે છે. પરંતુ પૂર્વબદ્ધ કર્મના ઉદયથી કોઈ પણ આવો વ્યવહાર કરવો પડે છે અને તે પણ નિઃસ્પૃહભાવે કરે છે. તેઓ તે વ્યવહાર કરવા છતાં રાગ - આસક્તિ વિનાના છે. માટે જ નવા કર્મો બાંધતા નથી અને જૂનાં કર્મો ખપાવીને પૂર્ણ કરી મોક્ષની અતિનિકટવર્તી બને છે. પ્રશ્ન-[૨૬] યદા યદા હિ ધર્મસ્ય, ઈત્યાદિ સંસ્કૃત શ્લોકોમાં તો જ્યારે જ્યારે આ સંસારમાં ધર્મની હાનિ થાય ત્યારે ત્યારે તેનો ઉદ્ધાર કરવા માટે ભગવાન્ જન્મ ધારણ કરે છે એમ કહ્યું છે, તો ભગવાનને પુનર્જન્મ ગ્રહણ કરવાની શું જરૂર ? - ઉત્તર- ભગવાન્ મોક્ષે ગયા પછી ફરીથી સંસારમાં જન્મતા જ નથી. જે એક વખત શુદ્ધ બુદ્ધ નિરંજન બન્યા તે ફરીથી કદાપિ કર્મોથી લેવાતા નથી. તથા પોતાના સ્થાપેલા તીર્થ પ્રત્યે પણ રાગદ્વેષ ન હોવાથી સંસારમાં ફરીથી જન્મવાનું કોઈ પ્રયોજન નથી. અને જેઓ સંસારમાં જન્મ ધારણ કરે છે તેઓ સાચા પરમાત્મા કે ભગવાન નથી. માત્ર સાંસારિક દેવગતિને પામેલા દેવો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy