SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ “અનેકાન્તવાદ” ૧૪૭ (૩) પોતે સેવેલા જૈનધર્મના ફળનો સંદેહ કરવો-ફળમાં શંકા કરવી તે ત્રીજા દુષણ. (૪) મિથ્યા દષ્ટિઓના ગુણોની પ્રશંસા કરવી તે ચોથું દુષણ. (૫) મિથ્યા દષ્ટિઓનો પરિચય કરવો તે પાંચમું દુષણ. પ્રશ્ન- [૩૮૫] આઠ પ્રભાવક કયા કયા ? ઉત્તર- (૧) જૈન શાસ્ત્રોના સંપૂર્ણ જાણકાર તે ખાવચનિકપ્રભાવક (૨) ધર્મનો ઉપદેશ આપવામાં અતિશય નિપુણ તે ધર્મકથાકારક પ્રભાવક. (૩) વાદ-વિવાદમાં જૈનમતના મંડન દ્વારા સામા મતનો પરાભવ કરવામાં પાવરધા તે વાદી પ્રભાવક. (૪) જ્યોતિષ શાસ્ત્રના અદૂભૂત જ્ઞાન દ્વારા અષ્ટાંગ નિમિત્ત જાણીને તે દ્વારા પણ જૈન શાસનની પ્રભાવના કરનાર તે નૈમિત્તિક પ્રભાવક. (૫) તપ દ્વારા જૈન શાસનનો પ્રભાવ વધારનાર તે તપસ્વી " પ્રભાવક. (૬) વિદ્યાના બળથી ચમત્કારો દ્વારા જૈન શાસનની પ્રભાવના કરનાર તે વિદ્યાપ્રભાવક. (૭) અંજન ચૂર્ણ આદિ દ્વારા જૈન શાસનની પ્રભાવના કરનાર તે તાંત્રિક પ્રભાવક. (૮) મનને ચમત્કાર ઉપજાવે તેવાં ઉત્તમ કાવ્યોની રચના કરી જૈનશાસનની શોભા વધારનાર તે મહાકવિ પ્રભાવક. પ્રશ્ન- [૩૮] સમ્યકત્વનાં પાંચ ભૂષણો કયાં ક્યાં ? ઉત્તર- (૧) દેવવંદન-ગુરુવંદન-પચ્ચકખાણો આદિ ધર્મનાં અનુષ્ઠાનો આચરવામાં અતિશય કુશળપણે વર્તે તે પહેલું ભુષણ. (૨) સ્થાવર-જંગમ તીર્થની ભક્તિભાવ પૂર્વક સેવા કરવી તે બીજુ ભુષણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy