SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાન્તવાદ ૧૪૫ હવે જે જીવોમાં જેટલા લાખની યોનિ શાસ્ત્રોમાં કહેલી છે. તેનાથી અડધા કરી, તેટલા લાખને બદલે તેટલા સો જેટલી મૂળજાત કલ્પવી. જેમ કે પૃથ્વીકાયની યોનિ સાત લાખની કહી છે. તેના અડધા સો. ૩૫૦, થાય છે. તેટલી મૂળજાતો જાણવી. જેમ કે પત્થર, મીઠું, સુરમો, હડતાલ, સ્ફટિક, મણી, રત્ન, સુવર્ણ, ઈત્યાદિ પૃથ્વીકાયની જગભરમાં થઈને કુલ ૩૫૦ જાત છે. તેમાંની એકેક જાતના વર્ણ ૫, x ગંધ ૨, x રસ ૫, x સ્પર્શ ૮, x સંસ્થાન ૫, કરવાથી સાત લાખ યોનિ થશે. એમ સર્વજીવ ભેદમાં સમજી લેવું. પ્રશ્ન- [૩૭૯] સમ્યકત્વના ૬૭ બોલ કયા કયા ? ઉત્તર- ૪ શ્રધ્ધાન, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, ૫ લક્ષણ, પ દૂષણ, ૫ ભૂષણ, ૮ પ્રભાવના, ૬ જયણા, ૬ આગાર, ૬ સ્થાનક, અને ૬, ભાવના, એમ ૬૭ બોલ સમજવા. આ ૬૭ બોલનું ગુજરાતી ભાષામાં સવિસ્તર વર્ણન, પૂજ્ય યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજે બનાવેલી “સમક્તિ ૬૭ બોલની સજઝાયમાં કરેલું છે. પ્રશ્ન- [૩૮૦] સમ્યક્ત્વના ૬૭ બોલમાં ૪ શ્રદ્ધા કહી. તે કઈ કઈ ? ઉત્તર- જિનેશ્વર પરમાત્માએ બતાવેલા નવ તત્ત્વ આદિ જગત ના યથાર્થ સ્વરૂપ ઉપર દઢપણે પૂર્ણ શ્રદ્ધા કરવી તે ૧. ગીતાર્થ ગુરુઓને યર્થાથપણે ઓળખી તેઓની સેવા કરવી ર જે જૈન આત્માઓમાંથી સમ્યકત્વ ચાલ્યું ગયું હોય તેવા પતિત થયેલા આત્માઓનો સંગ તથા પરિચય ન કરવો ૩ અન્ય દર્શન વાળાઓ સાથે આપણે અનભ્યાસી હોઈએ ત્યારે સહવાસ-સંબંધ ન રાખવો ૪ આ ચાર શ્રદ્ધા જાણવી. પ્રશ્ન-[૩૮૧] ત્રણ લિંગો કયાં કયાં ? તેના અર્થો શું ? ઉત્તર- (૧) ધર્મ સાંભળવાની તીવ્ર ઈચ્છા, તીવ્ર ઉત્કંઠા. (૨) જિનેશ્વર પ્રભુના ધર્મ ઉપર દઢ રાગ. (૩) દેવ-ગુરુ ધર્મની ખડેપગે-અપ્રમત્તપણે સેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy