SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૩૨૩] ચેતનત્વ માનવામાં બીજી કોઈ યુકિત છે ? ઉત્તર- જો ચેતનત્વ જીવમાં ન હોય તો ઈનિષ્ટના સંયોગવિયોગ માં ઘટ-પટની જેમ હર્ષ-શોક-રાગ-દ્વેષ થાય જ નહીં અને તેથી કર્મોનો બંધ જ ન થાય. કર્મોનો અભાવ જ થાય. અને કર્મો ન સ્વીકારીએ તો સંસાર-મોક્ષ ઘટે જ નહીં. (જુઓ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ ગાથા ૧૯૫). આ ગુણ ફક્ત જીવમાં જ છે માટે વિશેષ છે છતાં જીવજાતિમાં સર્વત્ર છે. માટે સામાન્યમાં પણ ગણાય છે. પ્રશ્ન- [૩ર૪] “અચેતનવ” આઠમા ગુણથી શું લાભ ? ઉત્તર- “અચેતનત્વ સ્વભાવથી ધર્મ-અધર્મ-આકાશ-અને પુદ્ગલ આ ચાર દ્રવ્યો રાગ-દ્વેષના કર્તા નથી, તેથી કર્મોના પણ અકર્તા છે. વળી બોધ રહિત છે. તેઓને દુઃખ-સુખનું સંવેદન થતું નથી. પ્રશ્ન- [૩૨૫] જીવમાં ચેતનત્વ જેમ છે તેમ અચેતનત્વ હોય કે ન હોય ? ઉત્તર- જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો જેટલો જેટલો ક્ષયોપશમ છે તેટલો તેટલો ચેતનત્વ ગુણ જેમ છે તેમ તે બન્ને કર્મોનો જેટલો જેટલો ઉદય છે અને તેનાથી જેટલી જેટલી અજ્ઞાનદશા છે. તેટલો તેટલો ચેતનાના આવરણ રૂપ અચેતનસ્વભાવ પણ છે. આ અચેતનત્વ સ્વભાવ છેવદ્રવ્યનો સહજ સ્વભાવ નથી પરંતુ કર્મસાપેક્ષ હોવાથી વૈભાવિક સ્વભાવ છે. પ્રશ્ન- [૩૨૬] જો આ અચેતનત્વ ન માનીએ તો શું - દોષ ? ઉત્તર- જો અચેતનત્વ ન હોય અને એકાન્ત શુધ્ધ ચેતનત્વ સ્વભાવ જ હોય તો આરાધના કરવાની જરૂર રહેતી જ નથી, દીક્ષા સ્વીકારવાની, ધ્યાન કરવાની, કે શાસ્ત્રો ભણવાની પણ કંઈ જરૂર રહેતી જ નથી. જો દ્રવ્યમાં અશુધ્ધતા ન હોય તો તેને દૂર કરવા માટે કરાતી પ્રક્રિયાની શું જરૂર ? (જુઓ દ્ર. ગુ. ૫. રાસ ગાથા ૧૯૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy