SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ “અનેકાન્તવાદ” ૧૧૭ છે અને કાળાન્તરે કર્મોના ભોક્તા પણ થાય છે અને કર્મોનો વિનાશક થઈ મોક્ષગામી પણ થાય છે. આ રીતે મોક્ષતત્વ પણ હોવાથી તેના કારણભૂત ધર્મતત્ત્વ પણ હોઈ શકે છે. પ્રશ્ન- [૩૧૨] “દ્રવ્યત્વ” ગુણ માનવાથી બીજા લાભો શું થાય ? ઉત્તર- સંસારી જીવોમાં જ્ઞાન-અજ્ઞાનની જે હીનાયિક્તા થતી પ્રત્યક્ષ દેખાય છે તે આ ગુણને આભારી છે. સગુણી-દુર્ગુણી, સદાચારીદુરાચારી,-ગુણસ્થાનકોમાં ઉર્ધ્વગામી અને અધોગામી જે થાય છે અને અનુભવાય છે. તે સઘળું આ ગુણને આભારી છે. કારણ કે જીવ દ્રવીભૂત થનાર છે. નવા નવા ભાવે દ્રવીભૂત થાય છે. આ પ્રમાણે માનવું આ જ સમ્યક્ત્વ છે. પ્રશ્ન- [૩૧] “પ્રમેયત્વ” નામનો ચોથો ગુણ માનવાથી શો લાભ ? ઉત્તર- પાંચે દ્રવ્યો કોઈ ને કોઈ જ્ઞાનથી જાણી શકાય છે. સર્વથા અલખ અગોચર નથી, સ્થૂલદ્રવ્યો મતિ-શ્રુતથી જાણી શકાય છે. સ્કૂલ અને સૂક્ષ્મ પરંતુ રૂપીદ્રવ્યો અવધિજ્ઞાનથી ગમ્ય છે. સંજ્ઞી પંચેન્દ્રિયો વડે ગૃહીત મનોવર્ગણા મન:પર્યવજ્ઞાન વડે ગમ્ય છે. અને સ્થલ-સૂક્ષ્મરૂપી-અરૂપી-સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયો કેવલ જ્ઞાનથી ગમ્ય છે. જ્ઞાનથી અગમ્ય આ સંસારમાં કશું જ નથી. પ્રશ્ન- [૩૧૪] “આત્મદ્રવ્ય” તો અલખ-અગોચર કહેવાય છે. વીતરાગ પરમાત્માનું સ્વરૂપ પણ અલખ-અગોચર કહેવાય છે. તો સર્વત્ર પ્રમેયત્વ કેમ હોય ? ઉત્તર- ઈન્દ્રિયોથી અને મોહાવેશથી આત્મા જણાતો નથી. પરંતું સ્વસંવેદનથી અવશ્ય જણાય છે. કેવલજ્ઞાનથી પણ જણાય છે. ઈન્દ્રિયો દ્વારા પણ અનુમાનથી જણાય છે. માત્ર ઈન્દ્રિય પ્રત્યક્ષનો જ તે અવિષય છે. પ્રશ્ન- [૩૧૫] રૂપી પદાર્થો દેખાય છે માટે તેમાં પ્રમેયત્વ હોય અને અરૂપી પદાર્થો દેખાતા નથી તેમાં પ્રમેયત્વ ન હોય એમ કહી શકાય ? ઉત્તર- ના, એમ ન કહી શકાય. કારણ કે અરૂપી દ્રવ્યો પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy