SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ “અનેકાન્તવાદ” ૧૦૭ છે. માટે નિશ્ચયનયથી સ્વદ્રવ્ય જ સ્વપર્યાયનો કર્તા છે. પરંતુ વિવક્ષિત “ દ્રવ્ય ઈતર દ્રવ્યના પર્યાયનું કરણકારક અવશ્ય છે જ. તેથી જ વ્યવહાર નયથી વિવક્ષિતદ્રવ્ય ઈતરદ્રવ્યના પર્યાયનું કરણકારક હોવાથી કર્તા તરીકે ઉપચારાય છે. માટે વ્યવહારનય પણ સત્યાંશગ્રાહી છે. પ્રશ્ન- [૨૮૩- દરેક પદાર્થોમાં ઉત્પન્ન થતા પર્યાયોમાં છ એ કારક તો સ્વમાં જ હોય છે ને ? તો પરદ્રવ્ય સ્વરૂપ નિમિત્તિમાં કરણકારકતા કેમ કહો છો ? ઉત્તર- કરણકારકતા બે જાતની હોય છે. એક અત્યંતર અને બીજી બાહ્ય. અત્યંતરકરણકારકતા સ્વમાં હોય છે. બાહ્યકરણકારકતા પરમાં હોય છે. જેમ ચલુથી વસ્તુ જોવાનું જ્ઞાનપ્રાપ્ત કરવા સ્વરૂપ પર્યાયોત્પત્તિમાં લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય અત્યંતર. કરણકારક છે અને તે સ્વમાં છે તેવી જ રીતે ચરિન્દ્રિય અને ચશમાં તથા પ્રકાશ આદિ બાહ્યકરણકારક પણ છે અને તે પરદ્રવ્યમાં જ છે. માટે નિશ્ચયનયથી છ કારક જેમ સ્વમાં હોય છે. તેમ વ્યવહાર નથી પરમાં પણ છે કારક હોય છે. પ્રશ્ન- [૨૮૪] ભીતિમાં રહેલું શૃંગારરસનું ત નગ્ન ચિત્ર જોઈને જીવને વાસના ઉત્પન્ન થાય છે ત્યારે પણ તે વાસના પર્યાય જીવમાં જ ઉત્પન્ન થયો છે. માટે જીવ જ તે પર્યાયનો કર્તા છે. જીવમાં રહેલ અજ્ઞાન અને મોહ જ વાસનાના કર્તા છે. ભીરિસ્થિત ચિત્ર બીચારૂ જડ હોવાથી કંઈ કરતું નથી. જો વાસના કરતું હોય તો તે જ ચિત્ર જોનાર વૈરાગી સંત આત્માને વાસના કેમ ઉત્પન કરતું નથી ? માટે નિમિત્ત એ નિમિત્ત માત્ર જ છે. તે કંઈ કરતું નથી ફકત સ્વદ્રવ્ય જ કર્તા છે ? ઉત્તર- જ્યાં જ્યાં કારણ હોય ત્યાં ત્યાં કાર્ય થાય જ એવો નિયમ નથી. પરંતુ જ્યાં જ્યાં કાર્ય થાય ત્યાં ત્યાં (નિમિત્ત) કારણ હોય જ એવો નિયમ છે. જ્યારે ઉપાદાન બળવાન હોય છે ત્યારે નિમિત્ત તેના પર્યાયનું પરિવર્તન કરી શકતો નથી જેમ પાણી પત્થરને પીગાળી શકતું નથી. પરંતુ જ્યાં ઉપાદાન નિર્બળ હોય છે ત્યાં નિમિત્ત તેના પર્યાયનું પરિવર્તન કરવામાં કરણકારક બને છે. જેમ કે તે જ પ્ર.મા.૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy