SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- માણસમાં સિંહનો કે વાઘનો ઉપચાર બલવત્તાની અપેક્ષાએ જ કરાયો છે પછી સિંહ-વાઘ બની જવાપણું આવે જ કયાંથી ? જો ઉપચાર કરવાથી તે વસ્તુ તે રૂપે બની જતી હોય તો તો તે ઉપચાર જ ન કહેવાય? તે વસ્તુ જ ઈતર દાáન્તિક વસ્તુ સ્વરૂપ જ બની ચુકી પછી ઉપચાર શું ? તેવી જ રીતે નદીતટ જો ઉપચાર કરવા માત્રથી નદી બની જતી હોય તો તો તે ઉપચાર જશ્ન કહેવાય. માટે ઉપચાર ફકત કોઈ ગુણ ધર્મથી થાય છે. તરૂપતાથી થતો નથી. પ્રશ્ન- [૨૮૨] માટીમાં ઘટ બનવાની યોગ્યતા પાકે છે ત્યારે દંડ-ચક્ર-કુલાલાદિ નિમિત્તો આવી મળે છે. હાજર જ થઈ જાય છે. તે નિમિત્તો ઘટ બનાવતાં નથી. કારણકે કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યના પર્યાયનું કર્તા નથી. તેવી જ રીતે આ આત્મામાં સમ્યક્ત્વસંયમ-શ્રેણી-કેવળજ્ઞાન અને નિર્વાણની યોગ્યતા પાકે છે ત્યારે ત્યારે દેવ-ગુરુ-ધર્મ અને શાસ્ત્ર સ્વરૂપ નિમિત્તો આવી મળે છે. પરંતુ તે નિમિત્તો તે તે સમ્યક્ત્વાદિ પર્યાયનાં કર્તા નથી. કારણ કે તે પર્યાયો આત્મામાં છે જ, અને આત્મામાંથી જ પ્રગટ થાય છે નિમિત્તમાં નહીં. માટે નિમિત્તો વિદ્યમાન માત્ર હોય છે પરંતુ પરદ્રવ્યોના પર્યાયનાં કર્તા નથી. ૧૦૬ ઉત્તર- નિમિત્તો આવી મળે છે એમ નથી પરંતુ નિમિત્તોનો સંયોગ કરવો પડે છે અને તે સંયોગ દીર્ધકાળ રહેતાં તેનાથી દ્રવ્યમાં પર્યાયની યોગ્યતા પ્રગટ થાય છે. ઘટની યોગ્યતા માટીમાં પાકે ત્યારે દંડાદિ આવી મળતા નથી. પરંતુ દંડાદિનો યોગ પહેલાં થાય છે તેનાથી ચક્રાદિ ના ભ્રમણ દ્વારા માટીમાં ઘટની યોગ્યતા પ્રગટે છે. આ આત્મામાં સમ્યક્ત્વાદિની યોગ્યતા પામે ત્યારે દેવ ગુર્વાદિ આવી મળતા નથી. પરંતુ પૂર્વકાળથી તેઓનો વારંવાર યોગ થયે છતે તેઓ દ્વારા વારંવાર વાચના-ઉપદેશ-મનન-ચિંતન-ગ્રહણ કરાતે છતે ત્યારબાદ તે વાચનાદિ વડે જ ઉપાદાનમાં યોગ્યતા પ્રગટે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પર્યાયનો કર્તા નથી એમ જે વારંવાર કહેવામાં આવે છે ત્યાં કર્તા ભલે ન હોય પરંતુ તૃતીયા વિભક્તિવાળું કરણકારક જરૂર છે જ. અને કરણ કારકમાં કર્તાપણાનો ઉપચાર કરાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy