SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ થઇ છે. - જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા જીવો પણ કર્મભૂમિમાં જ હોય છે. પ્રશ્ન-૧૦] અકર્મભૂમિના મનુષ્યો કેવા હોય છે ? ઉત્તર-અકર્મભૂમિમાં જન્મનારા મનુષ્યો યુગલિક જ હોય છે. કલ્પવૃક્ષોથી જ જીવનારા હોય છે. મરીને બે દેવલોક સુધી દેવમાં જ જનારા હોય છે. અલ્પકષાયવાળા તથા અલ્પપાપવાળા હોય છે. પ્રશ્ન-[૧૧] ભરત ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર ભગવન્તો ક્યારે થાય છે ? ઉત્તર-- ભરત –ઐરાવત ક્ષેત્રમાં બે જાતનો કાળ હોય છેઃ (૧) અવસર્પિણી અને (૨) ઉત્સર્પિણી, ત્યાં એકેકના છ છ આરા હોય છે. તેમાં અવસર્પિણી કાળના ત્રીજા આરાનાં ૮૯ પખવાડિયાં બાકી રહે ત્યારે પહેલા ભગવાન મોક્ષે જાય છે. અને ચોથા આરાનાં ૮૯ પખવાડિયાં બાકી રહે ત્યારે ચોવીસમા ભગવાન મોક્ષે જાય છે. ઉત્સર્પિણી કાળમાં ત્રીજા આરામાં ૮૯ પખવાડિયાં વ્યતીત થયે છતે પહેલા ભગવાનનો જન્મ થાય છે. અને ચોથા આરાનાં ૮૯ પખવાડિયાં વ્યતીત થયે છતે ચોવીસમા ભગવાન જન્મે છે. બને કાળમાં પ્રથમના બે આરા અને અન્તિમ બે આરામાં કોઈ પણ તીર્થકર ભગવન્તો થતા નથી. . પ્રશ્ન- [૧૨] અવસર્પિણી અને ઉત્સર્પિણી એટલે શું? તેના આરાઓનું માપ કેટલું હોય ? ઉત્તર- જે કાળમાં દિવસે દિવસે લોકોનાં આયુષ્ય - બુદ્ધિ તથા સંઘયણબળ ઈત્યાદિ ભાવો ઘટતા જાય તે અવસર્પિણી અને જે કાળમાં દિવસે દિવસે લોકોનાં આયુષ્ય - બુદ્ધિ તથા સંઘયણબળ ઈત્યાદિ ભાવો વધતા જાય તે ઉત્સર્પિણી. આ બન્ને કાળના છ + છ = બાર આરાનું મળીને ગાડાના પૈડાની જેમ એક ચક્ર (પડું) બને છે. માટે તેને કાળચક્ર કહેવાય છે. ગાડાના પૈડામાં જેમ લાકડાના આડા હોય છે તેમ કાળના આ વિભાગોને આડા-અર્થાત્ આરા કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy