SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા - તીર્થકર ભગવન્તો “જંગમ” તીર્થની સ્થાપના કરે છે. કેવળજ્ઞાન પામ્યા પછી પ્રથમ ધર્મદેશના આપે છે. તે અદ્ભુત વાણીથી જે જે પ્રતિબોધ પામે છે તેઓને સર્વવિરતિ તથા દેશવિરતિ ધર્મ આપી જંગમ તીર્થની સ્થાપના કરે છે. પ્રશ્ન- [૭] જંબૂતીપાદિ દ્વીપો અને ભરતાદિ ક્ષેત્રો ક્યાં આવેલાં છે ? ઉત્તર-ચૌદ રાજલોક પ્રમાણ આલોકના અતિમધ્યભાગે તિચ્છલોક આવેલો છે. તે એક રાજ લાંબો - પહોળો - ગોળ છે. તેના બરાબર મધ્યભાગે ૧ લાખ યોજન લાંબો - પહોળો, થાળી જેવો ગોળ જંબુદ્વીપ છે. તેને વીંટાઈને ડબલ - ડબલ માપના અનુક્રમે લવણસમુદ્ર - ઘાતકીખંડ કાલોદધિસમુદ્ર અને પુષ્કરવરદ્વીપ આવેલા છે. તે પુષ્કરવારદ્વીપના અતિમધ્યભાગે માનુષોત્તર પર્વત નગરને ફરતા કોટની જેમ આવેલો છે. તેથી રા દ્વીપ થાય છે. તેમાં મનુષ્યોનાં જન્મ-મરણ થાય છે. માટે નરલોક અથવા મનુષ્યક્ષેત્ર કહેવાય છે. જંબુદ્વીપમાં દક્ષિણદિશાના છેડે ૧ ભરતક્ષેત્ર, ઉત્તર દિશાના છેટે ૧ ઐરાવતક્ષેત્ર, અને બરાબર મધ્યભાગે ૧ મહાવિદેહ ક્ષેત્ર આવેલ છે. એમ કુલ ૩ ક્ષેત્રો છે. ધાતકીખંડ તથા પુષ્કરવર દ્વિીપમાં ડબલ-ડબલ ક્ષેત્રો હોવાથી ૨ ભરત, ૨ ઐરાવત, અને ૨ મહાવિદેહ ક્ષેત્ર છે. એમ કુલ ૩૬૬=૧૫ ક્ષેત્રોને કર્મભૂમિ કહેવાય છે.. પ્રશ્ન- [૮] કર્મભૂમિ એટલે શું? * ઉત્તર જ્યાં અસિ - મસિ અને કૃષિનો વ્યવહાર હોય તે કર્મભૂમિ કહેવાય છે અને જ્યાં અસિ મસિ અને કૃષિનો વ્યવહાર ન - હોય તેને અકર્મભૂમિ કહેવાય છે. પ્રશ્ન- [૯] અકર્મભૂમિ કરતાં કર્મભૂમિની વિશેષતા શું છે? - ઉત્તર-- તીર્થકર ભગવન્તો, ચક્રવર્તીઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો, બળદેવો ઈત્યાદિ શલાકાપુરુષો કર્મભૂમિમાં જ જન્મે છે. દીક્ષા -સંયમ, મોક્ષપ્રાપ્તિ પણ કર્મભૂમિમાં જ હોય છે. તથા વધુ પાપકર્મ કરનારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy