SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ “અનેકાન્તવાદ” ૧૦૧ આલંબનત્રિક-દર્શનાદિ ધર્મક્રિયા કરતાં પ્રભુની પ્રતિમામાં સૂત્રમાં અને અર્થમાં એકલીન થવું. આ ત્રણનું આલંબન લેવું. (૧૦) મુદ્રાવિકપ્રભુજીનાં દર્શન કરતાં શરીરની ત્રણ પ્રકારની મુદ્રા-રચના(આકૃત્તિ) સાચવવવાની છે બે હાથની યોગમુદ્રા, બે પગની જિન મુદ્રા, અને જયવીયરાયાદિ સૂત્રો બોલતાં મુકતાસુક્તિમુદ્રા. પ્રશ્ન- [૨૭૦] ભગવાનના મંદિરમાં પ્રવેશતાં ૧૦ આશાતનાઓ ત્યજવાની કહી છે. તે ૧૦ આશાતનાઓ કઈ ? અને તેનો અર્થ શું ? ઉત્તર- (૧) તંબોલભોજન-મુખવાસ-પાન ખાવું-બીડી પીવી. (૨) પાનભોજન-પાણી પીવું (૩) ભોજન-અશનાદિ આહાર દ્વારા ભોજન કરવું. (૪) ઉપાનહ-જોડાં-ચંપલ-બુટ પહેરીને જવું. (૫) મૈથુન-સંસારક્રીડા કરવી. કુચેષ્ટા કરવી. (૬) શયન-સુંવુ, શયન કરવું, આડા પડવું, આળોટવું (૭) નિષ્ઠાપન-થુંકવું, નાકની લીટ નાખવી. (૮) મુત્ર કરણ- બાથરૂમ કરવું, મુત્ર કરવું. (૯) ઉચ્ચારકરણ-સંડાસ જવું, ટોયલેટ જવું (૧૦) ઘુતકરણ-જુગાર રમવો, આ દશ આશાતના ત્યજવી જોઇએ. પ્રશ્ન- [૨૭૧] સ્નાત્રપૂજા જે ભણાવવામાં આવે છે તેનો અર્થ શું ? ઉત્તર- ભગવાનનો જ્યારે જ્યારે જન્મ થયો ત્યારે દેવ-દેવીઓ અને તેઓના ઇન્દ્રોએ આવી ભગવાનને મેરૂપર્વત ઉપર લઈ જઈ જન્માભિષેક કર્યો. પ્રભુને વિવિધ-સ્વચ્છ જળથી નવરાવ્યા. તેનું અનુકરણવર્ણન-આ પૂજામાં છે. જાણે આપણે મેરૂપર્વતની ઉપર દેવ-દેવીઓની જેમ જન્માભિષેક કરતા હોઇએ એવો તેમાં ભાવ છે. * પ્રશ્ન- [૨૭૨] સ્નાત્રપૂજામાં ૬૪ ઇકોનું વર્ણન આવે છે તે કેવી રીતે ? ઉત્તર- દેવોના ચાર પ્રકાર છે. ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ-અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy