SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કરી ? યોગાભ્યાસ માટેની સમજણ.. ૧૧ ક્રિયા કરવાથી પેટ સાફ આવે છે. (૨) હાથ તેમ જ કમરના સ્નાયુઓ કાર્યક્ષમ બને અને કમરનો મેદ ક્રમાનુસાર ઘટે છે. | ક્રિયા નં. ૮ અર્થઃ જૂના જમાનામાં ઘેર ઘેર અનાજ દળવાની ઘંટી રહેતી હતી. તેના જેવી ક્રિયા કરો. સ્થિતિ : (૧) આકૃતિ નં. ૧ પ્રમાણે શરીરની સ્થિતિ બનાવવી. ક્રિયા: (૧) ઉપરોક્ત સ્થિતિમાં - આવ્યા બાદ ઊંડો શ્વાસ પૂરક) લેતાં લેતાં આકૃતિ નં. રની સ્થિતિમાં આવો ત્યાં થોડી વાર (કુંભક) શ્વાસ રોકી રાખી રેચક) શ્વાસ છોડતાં છોડતાં મૂળ સ્થિતિમાં પાછા આવો. (જુઓ આકૃતિ નં. ૧૩. (૨) આમ ઘડિયાળના કાંટાની દિશામાં તથા વિરુદ્ધ દિશામાં સમગ્ર ક્રિયા કરવી. સૂચના: (૧) પગના ઘૂંટણ ક્રિયા કરતાં વળવા જોઈએ નહિ. (ર) આગળ વળતાં શ્વાસ છોડો ને પાછળ જતાં શ્વાસ લો. એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી ક્રિયા કરો. લાભ : પેટનું સુંદર માલીશ થાય છે, મેદ દૂર થાય છે, ને ભૂખ સારી લાગે છે. ક્રિયા નં. ૯–૧૦ સ્થિતિ: (૧) બન્ને પગ ભેગા રાખી ઊભા રહો. ત્યારબાદ નીચા નમી બને હાથ પગના ઘૂંટણ પર મૂકો. ક્રિયા: (૧) ઘૂંટણથી પગને ડાબેથી જમણી તરફ અને જમણેથી ડાબી તરફ વારાફરતી ફેરવો. ફાયદાઃ (૧) પગના તમામ સ્નાયુઓને કસરત મળે છે. (૨) તેમ જ ઘૂંટણના “વા"ના દર્દીઓને રાહત થાય છે. સ્થિતિઃ (૧) આકૃતિ નં. ૧ મુજબ સ્થિતિ બનાવો. જેમાં એક પગ સીધો અને બીજો પગ ઘૂંટણથી વાળેલો છે તેને સાથળ પર મૂકો. કિયાઃ (૧) ધીરે ધીરે ઘૂંટણથી વાળેલા પગને ઉપર તથા નીચે હલાવો (જુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001189
Book TitleYoga Swasthya ane Manav Mulyo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1995
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy