SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠી કાન્તા દૃષ્ટિ ૧૮૫ ભોગોને સ્વરૂપથી માયામય પાણીની ઉપમાવાળા સમજતો આત્મા તેને ભોગવતો છતો પણ તેમાં આસક્તિ ન પામતો હોવાથી જલ્દી પરમપદને પામે છે. I૧૬૬ ભોગને જ તત્ત્વ માનનારો પુરુષ ભવોદધિને ઓળંગી શકતો નથી. કારણ કે માયામય પાણીમાં સાચા પાણીની બુદ્ધિના આગ્રહવાળો કયો પુરુષ તે પાણીના માર્ગે જવા પ્રયત્ન કરે ? અર્થાત્ કોઈ તે માર્ગે આગળ ન વધે. ll૧૬૭ll આ પ્રમાણે આ છઠ્ઠી કાન્તાદષ્ટિનું વર્ણન અહીં સમાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં આત્માનું વૈરાગ્યપૂર્ણ જ્ઞાન અને દર્શન તીવ્ર છે. સર્વવિરતિ ચારિત્ર હોય અથવા દેશવિરતિ ચારિત્ર હોય, પરંતુ તીવ્રશુદ્ધિ અવશ્ય છે. તથા ઘણી જ નિર્મળતા છે. અલ્પકાળમાં જ શ્રેણીમાં આરોહણ કરે તેવા ઉંચા ભાવ છે. આવી ઉચ્ચકોટિની પરિણતિના બળે જ ઈલાચી-ચિલાતી પુત્ર-ભરત મહારાજા આદિ ગૃહસ્થો પણ ભવસાગર તર્યા છે. સાધુપણાનો માર્ગ એ રાજમાર્ગ છે. આવી ઉંચી પરિણતિની પ્રાપ્તિ થવી એ જ ભાવ પુણ્યોદય સમજવો. કા. છઠ્ઠી કાન્તા દૃષ્ટિ સમાપ્ત. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy