SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ આઠ દૃષ્ટિની સજ્ઝાય दोषव्यपायः परमा च तृप्तिरौचित्ययोगः समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतम्भरा धी र्निष्पन्नयोगस्य तु चिह्नमेतत् ॥ ३ ॥ અર્થ - નીચે મુજબ કુલ ૨૧ લક્ષણો(ચિહ્નો) નિષ્પન્નયોગીનાં છે. (૧) અલોલુપતા - ઇન્દ્રિયોના વિષયોમાં લોલુપતા - તૃષ્ણા ન હોય. (૨) આરોગ્ય - હિત-મિત આહારાદિથી અને યોગપ્રભાવથી શારીરિક રોગો ન હોય. (૩) અનિષ્ઠુરતા - હૃદયમાં ક્રૂરતા-કઠોરતા ન હોય, દ્રવ્યદયા અને ભાવદયા હોય. (૪) શુભગંધ શરીરમાંથી ગુલાબાદિના પુષ્પોની જેમ ચોતરફ સુગંધ ફેલાય. (૫) મૂત્રવિષ્ઠા અલ્પ - સારી પાચનક્રિયાથી મૂત્ર અને વિષ્ઠાની અલ્પતા હોય છે. (૬) કાન્તિ - શરીરનું તેજ - લાવણ્ય વધારે હોય છે. (૭) પ્રસાદ યોગદશામાં જ ચિત્ત હોવાથી માનસિક ઘણી પ્રસન્નતા હોય છે. 1 (૮) સ્વરસૌમ્યતા કંઠનો સ્વર અત્યન્ત કોમળ, મધુર અને લોકપ્રિય હોય છે. યોગદશાનાં આ પ્રથમ આઠ ચિહ્નો છે. - (૯) મૈત્ર્યાદિવાસિતચિત્ત - મન મૈત્રી આદિ ચારે ભાવનાઓથી વાસિત હોય છે. (૧૦) વિષયોમાં અચિત્તવૃત્તિ આસક્ત બનતું નથી. Jain Education International (૧૧) પ્રભાવવાળું ચિત્ત હોય છે. - મન પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મન પ્રભાવવાળું - તેજવાળું For Private & Personal Use Only બલિષ્ઠ www.jainelibrary.org
SR No.001188
Book TitleAth Drushtini Sazzay
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy