SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પંચકર્મગ્રન્યપરિશીલન ક્ષયોપશમયોગ્ય કર્મ - ક્ષયોપશમ બધાં કર્મોનો થતો નથી, કેવળ ઘાતિર્મોનો જ થાય છે. ઘાતિકર્મના બે ભેદ છે - દેરાઘાતી અને સર્વઘાતી. બન્નેના ક્ષયો પરામમાં કંઈક ભિન્નતા છે. (ક) જ્યારે દેશઘાતિકર્મનો ક્ષયોપશમ પ્રવૃત્ત થાય છે ત્યારે તેના મન્દરસયુક્ત લાક દલિકોનો વિપાકોદય સાથે સાથે જ રહે છે. વિપાકોદય પ્રાપ્ત દલિક અલ્પરસયુક્ત હોવાથી સ્વાવાર્ય ગુણનો ઘાત કરી શકતા નથી, તેથી એવો સિદ્ધાન્ત મનાયો છે કે દેશઘાતકર્મના ક્ષયોપશમ વખતે વિપાકોદય હોવો વિરુદ્ધ નથી. અર્થાત્ તે ક્ષયો પરામના કાર્યને - સ્વાવાર્ય ગુણના વિકાસને - રોકી શકતો નથી. પરંતુ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે દેશઘાતિકર્મના વિપાકોદયમિશ્રિત યોપશમ વખતે તેનો સર્વઘાતિરસયુક્ત કોઈ પણ દલિક ઉદયમાન હોતો નથી. તેથી આ સિદ્ધાન્ત માની લેવામાં આવ્યો છે કે જ્યારે સર્વઘાતિરસ શુદ્ધ અધ્યવસાયથી દેરાઘાતિરસમાં પરિણત થઈ જાય છે ત્યારે અર્થાત્ દેશઘાતિસ્પર્ધકના જ વિપાકોદયકાળમાં ક્ષયોપશમ અવશ્ય પ્રવૃત્ત થાય છે. ઘાતિકર્મની પચ્ચીસ પ્રવૃતિઓ દેશઘાતિની છે જેમનામાંથી મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અચક્ષુદર્શનાવરણ અને પાંચ અન્તરાય આ આઠ પ્રકૃતિઓનો ક્ષયો પરામ તો સદાયથી જ પ્રવૃત્ત છે કેમ કે આવાર્ય મતિજ્ઞાન આદિ પર્યાય અનાદિકાળથી ક્ષાયોપથમિક રૂપમાં રહે જ છે. તેથી એ માનવું જોઈએ કે ઉક્ત આઠ પ્રકૃતિઓના દેશઘાતિરસસ્પર્ધકોનો જ ઉદય થાય છે, સર્વઘાતિરસસ્પર્ધકોનો ઉદય ક્યારેય થતો નથી. અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ, ચક્ષુદર્શનાવરણ અને અવધિદર્શનાવરણ આ ચાર પ્રકૃતિઓનો ક્ષયો પરામ કાદાચિક (અનિયત) છે, અર્થાત્ જ્યારે તેમના સર્વઘાતિરસસ્પર્ધકો દેશઘાતિરૂપે પરિણત થઈ જાય છે ત્યારે જ તેમનો ક્ષયો પરામ થાય છે અને જ્યારે સર્વઘાતિરસસ્પર્ધકો ઉદયમાન થાય છે ત્યારે અવધિજ્ઞાન આદિનો ઘાત જ થાય છે. ઉક્ત ચાર પ્રકૃતિઓનો ક્ષયો પરામ પણ દેશઘાતિરસસ્પર્ધકોના વિપાકોદયથી મિશ્રિત જ સમજવો જોઈએ. ઉક્ત બાર સિવાયની તેર (ચાર સંજવલન અને નવ નોક્યાય) પ્રકૃતિઓ જે મોહનીયની છે તે અધૂવોદયિની છે. તેથી જ્યારે તેમનો ક્ષયોપશમ પ્રદેશોદયમાત્રથી યુક્ત હોય છે ત્યારે તો તે પ્રકૃતિઓ સ્વાવાર્ય ગુણનો લેશમાત્ર પણ ઘાત નથી કરતી અને દેશઘાતિની જ મનાય છે, પરંતુ જ્યારે તેમનો ક્ષયોપશમ વિપાકોદયથી મિશ્રિત હોય છે ત્યારે તે પ્રકૃતિઓ સ્વાવાર્ય ગુણનો કંઈક ઘાત કરે છે અને દેશઘાતિની કહેવાય છે. (ખ) ઘાતકર્મની વીસ પ્રકૃતિઓ સર્વઘાતિની છે. તે વીસમાંથી કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણ આ બેનો તો ક્ષયોપશમ થતો જ નથી કેમ કે તેમના દલિક ક્યારેય દેરાઘાતિરસયુક્ત બનતા જ નથી અને તેમના વિપાકોદયને રોકી રાકાતો નથી. બાકીની અઢાર પ્રકૃતિઓ એવી છે જેમનો ક્ષયો પરામ થઈ શકે છે, પરંતુ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે દેરાઘાતિની પ્રકૃતિઓના ક્ષયોપશમ વખતે જેમ વિપાકોદય હોય છે તેમ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy